Four Indian players suspended: આસામ ક્રિકેટ એસોસિએશન (ACA) એ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025 દરમિયાન ભ્રષ્ટાચારમાં સંડોવણીના આરોપસર ચાર ક્રિકેટરોને સસ્પેન્ડ કર્યા છે. આ ખેલાડીઓએ વિવિધ તબક્કામાં આસામનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને રાજ્ય પોલીસની ક્રાઈમ બ્રાન્ચમાં તેમની સામે FIR દાખલ કરવામાં આવી છે. તેમના પર સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ભાગ લેનારા કેટલાક આસામ ખેલાડીઓને પ્રભાવિત કરવાનો અને ઉશ્કેરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. ACA સચિવ સનાતન દાસે જણાવ્યું હતું કે, "આરોપ પછી, BCCI ના ભ્રષ્ટાચાર વિરોધી અને સુરક્ષા એકમ (ACSU) એ તપાસ હાથ ધરી હતી. ACA એ પણ ફોજદારી કાર્યવાહી શરૂ કરી છે. પ્રથમ દ્રષ્ટિએ, રમતની અખંડિતતાને અસર કરતી ગંભીર ગેરવર્તણૂકમાં તેમની સંડોવણીના સંકેતો છે." આ ખેલાડીઓ છે અમિત સિંહા, ઈશાન અહેમદ, અમન ત્રિપાઠી અને અભિષેક ઠાકુર.
કેટલો સમય ખેલાડીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
આસામની સૈયદ મુશ્તાક લીગ મેચો 26 નવેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન લખનૌમાં યોજાઈ હતી, અને તેઓ ચાલુ સુપર લીગ તબક્કા માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગયા હતા. "પરિસ્થિતિ વધુ બગડી તેવી શક્યતાને રોકવા માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તપાસનું અંતિમ પરિણામ જાણી શકાય નહીં અથવા એસોસિએશન દ્વારા આગળ કોઈ નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી સસ્પેન્શન ચાલુ રહેશે." દાસે જણાવ્યું.
શું માત્ર સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાંથી સસ્પેન્ડ?
સસ્પેન્શન સમયગાળા દરમિયાન, આ ખેલાડીઓને ACA, તેના જિલ્લા એકમો અથવા સંલગ્ન ક્લબો દ્વારા આયોજિત કોઈપણ રાજ્ય-સ્તરીય ટુર્નામેન્ટ અથવા મેચમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. સસ્પેન્શન દરમિયાન, તેને મેચ રેફરી, કોચ, અમ્પાયર વગેરે તરીકે ક્રિકેટ સંબંધિત કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ લેવાથી પણ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. દાસે જણાવ્યું હતું કે, તમામ જિલ્લા સંગઠનોને આદેશનું કડક પાલન સુનિશ્ચિત કરવા અને તેમના અધિકારક્ષેત્ર હેઠળના ક્લબો અને એકેડેમીઓને ACA ના નિર્ણય વિશે જાણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.





















