રાજ્યમાં ફરી એક વખત કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યભરમાં કુલ 119 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે અત્યાર સુધીની કુલ સંક્રમિતોની સંખ્યા 508 થઈ ગઈ છે.
હાલ 18 દર્દી વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, જ્યારે બાકીના 490 દર્દીઓને હોમ આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા મળેલી વધુ માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં 72 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
વિશેષ વાત એ છે કે હાલ સંક્રમણ ફેલાવતો વાયરસ ઓમિક્રોનના પેટા ટાઈપ વેરિએન્ટ LF.7.9 અને XFG Recombinant હોવાનું દાવા આરોગ્ય વિભાગે કર્યો છે. આ વેરિએન્ટના કારણે કેટલાક દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, જલદી થાકાવટ જેવી તકલીફો અનુભવાઈ રહી છે.
અધિકારીઓએ લોકોને પુનઃ સાવચેત રહેવા સૂચન આપ્યું છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને અન્ય કોમોર્બિડિટીઝ ધરાવતા લોકોને વધુ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ماس્ક પહેરવા, હાથ ધોવા અને ભીડભાડવાળી જગ્યાઓમાં જવાનું ટાળવા માટેની અપીલ પણ કરવામાં આવી છે.
શીલજમાં દેખાયો લોકશાહી પ્રત્યેનો ઉત્સાહ: સામાન્ય રીતે સવારે મતદાન કરનારા આનંદીબેન પટેલ આ વખતે કેમ બપોરે પહોંચ્યા?






