મહાકુંભ 2025ની પૂર્ણાહૂતિ અને સફળ આયોજન બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવાર (27 ફેબ્રુઆરી)ના રોજ પોલીસ સન્માન કાર્યક્રમમાં મહાકુંભમાં તેનાત પોલીસકર્મીઓને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભમાં તૈનાત પોલીસ કર્મચારીઓ માટે એક અઠવાડિયાની રજા જાહેર કરી છે અને 75 હજાર પોલીસ કર્મચારીઓને મહાકુંભ મેડલ અને ભેટ પત્રો આપવામાં આવશે.
યોગી આદિત્યનાથે કહ્યું, "અમારા જવાનોને તબક્કાવાર રીતે એક સપ્તાહની રજા આપવામાં આવશે. યોગી આદિત્યનાથે કહ્યું કે જેઓ મહાકુંભની ફરજમાં ભાગીદાર બન્યા છે તેમને એક સપ્તાહની રજા મળશે. જોકે, મુખ્યમંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ રજા મળશે પરંતુ તબક્કાવાર રીતે. મુખ્યમંત્રીએ કહ્યું કે મહાકુંભમાં 75 હજાર જવાનો ફરજ પર હતા, જેમાં ઉત્તર પ્રદેશ પોલીસ, પીએસી, સેન્ટ્રલ પોલીસ ફોર્સ, હોમ ગાર્ડના જવાનો અને આ મહાકુંભમાં ઉત્કૃષ્ટ કામ કરનારા તમામ લોકોને મહાકુંભ સર્વિસ મેડલ અને પ્રશંસા પત્ર આપવામાં આવશે. આ સાથે અહીં તૈનાત પોલીસકર્મીઓને 10 હજારનું બોનસ આપવામાં આવશે.
પોલીસ માટે 40 હજાર કરોડનું બજેટઃ યોગી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, મેં ઉત્તર પ્રદેશ પોલીસની ક્ષમતા આગળ વધતી જોઈ છે. મને યાદ છે કે એક સમયે ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગનું ખૂબ જ સરળ બજેટ હતું અને હાલમાં માત્ર પોલીસ દળ માટે જ 40 હજાર કરોડ રૂપિયાનું બજેટ છે. આ તે જ રાજ્ય હતું જ્યાં દરરોજ રમખાણો થતા હતા.
સીએમ યોગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે "મહાકુંભ-2025 પૂર્ણ થયા પછી, પ્રયાગરાજમાં યુપી પોલીસ અને વિવિધ સુરક્ષા દળોના કર્મચારીઓ સાથે વાતચીત કરી અને બડા ભોજ કાર્યક્રમમાં ભાગ લીધો. આપણા સુરક્ષા દળોના મહેનતુ કર્મચારીઓના સામૂહિક પ્રયાસોનું જ પરિણામ છે કે મહાકુંભ-2025 સૌથી મોટા પડકારના 'સર્વોચ્ચ શિખર' પર પહોંચી ગયું છે. તમામ પ્રતિબદ્ધ પોલીસ અને વિવિધ સુરક્ષા દળોના અધિકારીઓ અને જવાનોને હૃદયપૂર્વક અભિનંદન, જેમણે સુરક્ષિત અને સુવ્યવસ્થિત મહાકુંભને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે!
महाकुम्भ-2025, प्रयागराज की पूर्णाहुति के उपरांत आज @Uppolice एवं विभिन्न सुरक्षा बल के कार्मिकों के साथ संवाद किया एवं बड़ा भोज कार्यक्रम में सहभाग किया।
— Yogi Adityanath (@myogiadityanath) February 27, 2025
हमारे सुरक्षा बल के कर्मठ कार्मिकों के सामूहिक प्रयास का ही परिणाम है कि जितनी बड़ी 'चुनौती' थी, उतनी 'ऊंची चोटी' पर… pic.twitter.com/lViSnAOiIZ
સીએમ યોગીએ પોલીસકર્મીઓ સાથે રાત્રિભોજન કર્યું
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ મેળામાં તૈનાત પોલીસ કર્મચારીઓ સાથે રાત્રિભોજન કર્યું હતું. દિવસની શરૂઆતમાં સીએમ યોગીએ મહાકુંભમાં તૈનાત સફાઈ કર્મચારીઓ સાથે બપોરનું ભોજન લીધું હતું.





