ચૈત્રિ નવરાત્રી 30 માર્ચથી શરૂ થાય છે. આ 9 દિવસનો તહેવાર 7 એપ્રિલ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. નવરાત્રીના ઉપવાસ દરમિયાન, સાબુદાણા ખીચડી, સિંગોડા અથવા કટ્ટૂના લોટની પુરી અને બટાકાની સબ્જી ઉપરાંત, તમે ઘણી પ્રકારની ફળની વાનગીઓ બનાવી શકો છો, જે સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક હોય છે. જો તમે અથવા પરિવારમાં કોઈ પણ વ્યક્તિ આ વખતે નવરાત્રીમાં ઉપવાસ કરવા જઈ રહ્યા છો, તો તમે તેમના માટે સ્વાદિષ્ટ સાબુદાણા ખીચડી બનાવી શકો છો. આ છે સરળ રેસીપી...
સાબુદાણા ખીચડી
સાબુદાણા ખીચડી ઉપવાસ દરમિયાન સૌથી પ્રિય આહાર મનાય છે.
સામગ્રીઃ
1 કપ સાબુદાણા
2 બાફેલા બટાકા
2 ચમચી મગફળી
1 લીલું મરચું
1/2 ચમચી હળદર
1 ચમચી ઘી
સ્વાદ મુજબ મીઠું
કોથમીરના પાન
1 ચમચી લીંબુનો રસ
કેવી રીતે બનાવશો?
સાબુદાનાને 4-5 કલાક અથવા રાત્રે પલાળી દો, પછી વધારાનું પાણી કાઢી નાખો અને તેને એક બાજુ મૂકી દો.
એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો.
લીલા મર્ચા અને બટાકાને તેમા મિક્સ કરો.
હવે તેમા સાબુદાના નાખો અને ધીમી આંચ પર રાંધો
5-7 મિનિટ માટે રાંધવા પછી, ગેસ બંધ કરો અને ઉપર લિંબુનો રસ નાખો.
ગરમાગરમ સાબુદાણાની ખીચડીને સર્વ કરો.
સ્વાદ વધારવા માટે તમે થોડો નાળિયેર પાવડર નાખી શકો છો.




















