79મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લેથી દેશને સંબોધિત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની ભૂમિકા અંગે મહત્વપૂર્ણ સંબોધન કર્યું.
RSSની શતાબ્દી
પીએમ મોદીએ કહ્યું કે 100 વર્ષ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો જન્મ થયો હતો, જે માતૃભૂમિ માટે સમર્પિત છે. “સેવા, સમર્પણ, સંગઠન અને અનોખી શિસ્ત દ્વારા RSSએ રાષ્ટ્ર નિર્માણમાં અનોખી ભૂમિકા ભજવી છે. તે વિશ્વની સૌથી
મોટી સ્વૈચ્છિક સંસ્થાઓમાંની એક છે. હું લાલ કિલ્લાના પ્રાચીર પરથી બધા સ્વયંસેવકોને સલામ કરું છું,” એમ પીએમ મોદીએ જણાવ્યું.
ભાષા અને હસ્તપ્રતોનું સંરક્ષણ
મોદીએ જણાવ્યું કે આપણે આપણી તમામ ભાષાઓ પર ગર્વ હોવો જોઈએ. “હસ્તપ્રતો જ્ઞાનનો ભંડાર છે. ‘જ્ઞાન ભારત’ યોજના હેઠળ, દેશભરમાં જ્યાં પણ હસ્તપ્રતો છે, અમે ટેકનોલોજીની મદદથી તેમને સાચવવાનું કાર્ય કરી રહ્યા છીએ, જેથી તે લોકો માટે ઉપયોગી બની શકે,” એમ તેમણે જણાવ્યું. તેમણે ઉમેર્યું કે ભારત કરોડો લોકો, ઋષિઓ, ખેડૂતો, મજૂરો અને સેનાના પ્રયત્નોથી બનેલો છે.




















