Home International Breaking News Jammu Kashmir Pahalgam Terror Attack Tourist Died Gujarati Offbeat Stories

પહેલગામ આતંકી હુમલા અંગે સૌથી મોટો ખુલાસો : પ્રવાસીઓ પર હુમલા પહેલાં 15 કાશ્મીરીએ કરી હતી પાકિસ્તાનના આતંકવાદીઓને મદદ

પહેલગામ આતંકી હુમલા અંગે સૌથી મોટો ખુલાસો
Play Video
Published by: OBS Bureau
| Last Updated: Apr 27, 2025, 07:47 PM IST

Big Breaking News About Pahalgam Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલાં આતંકી હુમલા બાદ દેશભરમાં એક પ્રકારે હાઈઅલર્ટ જેવી સ્થિતિ છે. સુરક્ષા એજન્સીઓ પણ સમગ્ર ઘટનાને પગલે સઘન તપાસ કરી રહી છે. પીએમ મોદીની સુચના મુજબ ભારત સરકાર દ્વારા પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલાં આતંકી હુમલાની ઘટનાને ખુબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. વિવિધ સ્તર પર સમગ્ર ઘટના અંગે વિગતવાર તપાસ થઈ રહી છે. ત્યારે સમગ્ર મામલે એક મોટો ઘટસ્ફોટ થયો છે. સુરક્ષા એજન્સીઓની તપાસ દરમિયાન સામે આવ્યું છેકે, પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલાં આતંકી હુમલા પહેલાં 15 જેટલાં કશ્મીરીઓએ પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરી હતી.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ આતંકવાદીઓ સામે કાર્યવાહી સઘન બનાવી દીધી છે. પહેલગામની ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરના 9 આતંકવાદીઓના ઘરોને બોમ્બથી ઉડાવી દીધાં છે. તેમજ UAPAના કાયદા હેઠળ આતંકવાદીઓના 64 સહાયકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘાટીમાં એક બાદ એક આતંકીનો ખાત્મો બોલાવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

પહેલગામ આતંકી હુમલામાં લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠનની ટીમ TRF એટેલેકે, ધ રજિસ્ટન્સ ફ્રન્ટ નો હાથ હોવાનું ખુલ્યું છે. ત્યારે આ ઘટના બાદ ત્રાસ અને બ્રિજબેહરામાં એક બાદ એક આતંકીઓના ઘરોને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની કાર્યવાહી સુરક્ષા દળો દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહીં પુલવામાના ત્રાલમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી આમિર નઝીરનું ઘર તોડી પાડવામાં આવ્યું. તેમજ પુલવામાના ખાસીપોરામાં જૈશના આતંકવાદી અમીર નઝીર વાનીના ઘરને ઉડાવી દેવામાં આવ્યું.

અત્યાર સુધીમાં કાશ્મીર ખીણમાં આતંકવાદીઓના કુલ 9 ઘરોને ઉડાવી દેવામાં આવ્યા છે. આ પહેલા શોપિયા જિલ્લાના વાંદીના વિસ્તારમાં આતંકવાદી અદનાન શફીનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું. અદનાન શફી લગભગ એક વર્ષ પહેલા લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો. આ પહેલા કુપવાડામાં આતંકવાદી ફારૂક અહેમદના ઘરને ઉડાવી દેવામાં આવ્યું હતું. આ બધા સહિત, અત્યાર સુધીમાં કાશ્મીર ખીણમાં કુલ 9 આતંકવાદીઓના ઘરો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.

શ્રીનગરમાં આતંકવાદી સહાયકોના 64 સ્થળો સામે UAPA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે કુલગામમાંથી 2 આતંકવાદી સહાયકોની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓને કાશ્મીરમાં જ હાજર 15 ઓવરગ્રાઉન્ડ વર્કર્સે મદદ કરી હતી. આ મદદગારોની ઓળખ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના આધારે કરવામાં આવી છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ લોકોએ હુમલાખોરોને લોજિસ્ટિક્સ પૂરું પાડ્યું હતું અને સંભવતઃ પાકિસ્તાનથી શસ્ત્રોનો માલ પણ મેળવ્યો હતો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધનો અંત લાવવા પાકિસ્તાન મેદાનમાં: આતંકિસ્તાનમાં થશે મધ્યસ્થીની બેઠક? જાણો લેટેસ્ટ અપડેટ

ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધનો અંત લાવવા પાકિસ્તાન મેદાનમાં

યુદ્ધની દુનિયામાં ઇઝરાયેલનો નવો ધડાકો: હવામાં ઉડતા ફાઈટર જેટ્સ હવે લેઝર કિરણોથી દુશ્મનની મિસાઈલોને કરશે ટાર્ગેટ

યુદ્ધની દુનિયામાં ઇઝરાયેલનો નવો ધડાકો

કોલંબિયામાં ઉડાન ભરતા જ એરફોર્સનું વિમાન ક્રેશ: 110 સૈનિકોના જીવ જોખમમાં, એમેઝોનના જંગલોમાં સર્જાયો મોટો અકસ્માત

કોલંબિયામાં ઉડાન ભરતા જ એરફોર્સનું વિમાન ક્રેશ

ઈરાન-અમેરિકા-ઈઝરાયેલ યુદ્ધમાં નવો ટ્વીસ્ટ ?: જો પાંચ દિવસ સુધી બધું બરાબર રહ્યું, તો પશ્ચિમ એશિયા સંકટનો અંત આવશે, ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત

ઈરાન-અમેરિકા-ઈઝરાયેલ યુદ્ધમાં નવો ટ્વીસ્ટ ?

Iran US War Updates: શું મિડલ ઈસ્ટમાં યુદ્ધનો અંત આવશે? ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચે પોઝિટિવ વાટાઘાટો; જાણો શું છે અમેરિકા અને ઈરાન વચ્ચેની 'ગુપ્ત' ડીલ?

Iran US War Updates