બોલિવૂડ અભિનેતા સની દેઓલ બોક્સ ઓફિસ પર ફરી ધમાકેદાર કમાણી કરવા માટે તૈયાર છે. આગામી અમુક વર્ષોમાં તે મોટી ફિલ્મોમાં જોવા મળશે. સની પાજી પહેલાથી જ 'રામાયણ' અને 'બોર્ડર 2' ફિલ્મો માટે ચર્ચામાં છે, પરંતુ હવે એક્ટરની એક મોટી હિટ ફિલ્મોની સિક્વલને લઈને એક મોટી અપડેટ આવી છે. જેના કારણે ફેન્સમાં ઉત્સાહ ઘણો વધી ગયો છે.
હકીકતમાં, તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, ડાયરેકટર અનિલ શર્માએ ફિલ્મ 'ગદર 3' ની જાહેરાત કરી છે. આ સાથે, અમીષા પટેલ સાથેના મતભેદો અને ગદર 3 ની વાર્તા વિશે પણ વાત કરી છે .
'ગદર 3' વિશે મોટી અપડેટ
એક ઇન્ટરવ્યુમાં વાત કરતા ડાયરેકટર અનિલ શર્માએ કહ્યું, "અભિનેત્રી અમીષા પટેલ સાથે મારા સંબંધો હવે ખૂબ સારા છે. સમય સાથે બધું બરાબર થઈ જાય છે. સકીના અને તારા ફિલ્મ 'ગદર'નો મહત્વપૂર્ણ ભાગ છે. પરંતુ 'ગદર 3' રિલીઝ થાય તે પહેલાં અમે તેમની ભૂમિકાઓ વિશે વધુ વાત કરીશું નહીં. ફિલ્મ 'ગદર 3' ચોક્કસપણે બનશે. અમે 'ગદર 2' ના છેલ્લા સીનમાં દર્શકોને આ વચન આપ્યું હતું. જ્યાં તારાના પુત્ર જીતે (ઉત્કર્ષ શર્મા) ને કહેવામાં આવે છે કે તે સેનામાં જોડાવા માટે લાયક છે. અમે આ સંદેશ સાથે ફિલ્મનો અંત કર્યો."
ફિલ્મ ગદર 3 નું શૂટિંગ ક્યારે શરૂ થશે?
ફિલ્મ ગદરના ડાયરેકટરે કહ્યું કે ફિલ્મ 'ગદર 3' ની સ્ક્રિપ્ટ પહેલાથી જ લખાઈ ગઈ છે. આવી સ્થિતિમાં, ફેન્સને તેના માટે વધુ રાહ જોવી પડશે નહીં. ડાયરેકટરે કહ્યું કે ફિલ્મનું શૂટિંગ આગામી 2 વર્ષમાં શરૂ થશે. હા, પરંતુ આ ફિલ્મ 'ગદર' અને ' ગદર 2 ' જેટલો સમય લેશે નહીં. જણાવી દઈએ કે પહેલી અને બીજી ફિલ્મ આવવામાં લગભગ 22 વર્ષ લાગ્યા. આ સાથે, ડાયરેકટરે એક અપડેટ પણ આપ્યું છે કે સ્ક્રિપ્ટ પર કામ થઈ ગયું છે. ફિલ્મનો ત્રીજો ભાગ તારા અને તેના પુત્રની વાર્તા પર આધારિત હશે.
અનિલે અમીષા પટેલ વિશે શું કહ્યું?
જણાવી દઈએ કે જ્યારે ગદર 2 રિલીઝ થઈ ત્યારે ફિલ્મનો ક્લાઈમેક્સ અમીષા પટેલને જાણ કર્યા વિના શૂટ કરવામાં આવ્યો હતો. અમીષા આ વાતથી નારાજ હતી. જોકે, નારાજ હોવા છતાં, અમીષાએ થોડા દિવસો પહેલા મનીષ પોલના પોડકાસ્ટમાં કહ્યું હતું કે તે ભૂતકાળ ભૂલી જવા માંગે છે. જો ગદર 3 નું પેપરવર્ક સારું હશે, તો તે ચોક્કસપણે આ ફિલ્મ કરવા માંગશે.




















