Home Gujarat Bjp Shri Kamalam Tributes Vijay Rupani Flight Victims Gandhinagar

અમદાવાદ-લંડન ફ્લાઇટ દુર્ઘટના : ‘કમલમ’ ખાતે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણી સહિતના દિવંગતોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

Gandhinagar
Published by: Viral Patel
Last Updated: Jun 12, 2026, 03:28 PM IST

Gandhinagar: ગત ૧૨ જૂનના રોજ અમદાવાદ-લંડન ફ્લાઇટની વિમાન દુર્ઘટનામાં અકાળે અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સ્વ. વિજયભાઈ રૂપાણી તેમજ અન્ય દિવંગત નાગરિકોની યાદમાં આજે ગાંધીનગર ખાતે એક વિશેષ શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપા પ્રદેશ કાર્યાલય ‘કમલમ’, કોબા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નેતૃત્વએ ઉપસ્થિત રહીને દિવંગતોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ગૌરવશાળી નેતૃત્વને યાદ કરાયું

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વ. વિજયભાઈ રૂપાણીના જાહેર જીવનમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. વિજયભાઈની સરળતા, મૃદુ સ્વભાવ અને સંગઠન પ્રત્યેની તેમની નિષ્ઠાને બિરદાવતા નેતાઓએ જણાવ્યું હતું કે તેમનું જવું એ ગુજરાત અને પક્ષ માટે ન પૂરી શકાય તેવી ખોટ છે.

સ્વ. વિજય રૂપાણીએ એક કુશળ વહીવટકર્તા અને સંવેદનશીલ નેતા તરીકે લાંબો સમય જનસેવા કરી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ નાગરિકોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે." કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કાર્યકરો અને આગેવાનોએ બે મિનિટનું મૌન પાળીને દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર ‘શ્રી કમલમ’ સંકુલ આજે શોકમગ્ન જણાતું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now