ભારતના આધ્યાત્મિક વારસાને નવી ઊંચાઈ આપતું એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બિહારમાં વિકસાવવામાં આવી રહ્યું છે – વિરાટ રામાયણ મંદિર! આ મંદિર દુનિયાનું સૌથી મોટું રામાયણ-આધારિત હિંદુ મંદિર બનવા જઈ રહ્યું છે, જેમાં કંબોડિયાના અંકોર વાટ, રામેશ્વરમના રામનાથસ્વામી અને મદુરાઈના મીનાક્ષી મંદિરની ઝલક જોવા મળશે. પટનાના મહાવીર મંદિર ટ્રસ્ટ દ્વારા રૂ. 500 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહેલા આ મંદિરમાં 270 ફૂટ ઊંચું મુખ્ય શિખર, 1080 ફૂટ લાંબાઈ, 540 ફૂટ પહોળાઈ અને 22 મંદિરોનો સમાવેશ થાય છે. આ મંદિર 20,000 ભક્તોને એકસાથે બેસીને પૂજા કરવાની વ્યવસ્થા કરશે અને તેમાં વિશ્વનું સૌથી ઊંચું (33 ફૂટ) અને ભારે (210 ટન) એકજ ટુકડામાંથી કોતરેલું કાળા ગ્રેનાઈટનું શિવલિંગ સ્થાપિત થશે. જૂન 2023માં શરૂ થયેલા નિર્માણમાં હાલ તીવ્ર ગતિએ કામ ચાલી રહ્યું છે અને 2026-2027 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નહીં, પરંતુ બિહારના પર્યટન, અર્થતંત્ર અને સાંસ્કૃતિક જોડાણને મજબૂત કરશે, જે અયોધ્યા-જનકપુર રામાયણ સકિટનો મહત્વનો ભાગ બનશે. આવો જાણીએ આ મહાકાવ્ય પ્રોજેક્ટની વિગતો, ખાસિયતો અને ફાયદાઓ વિશે વિસ્તારથી જાણીશું.
વિશ્વના સૌથી મોટા રામાયણ મંદિરની ખાસિયતો
વિરાટ રામાયણ મંદિર પૂર્વી ચંપારણ જિલ્લાના કૈથવાલિયા અને બહુઆરા ગામો વચ્ચે ચકિયા-કેસરિયા રોડ પર આવેલું છે. પટનાથી આશરે 120 કિમી દૂર આ સ્થળ રામ-જાનકી પથ પર છે, જે અયોધ્યા અને જનકપુરને જોડે છે. જેની ખાસિયતો નીચે જણાવ્યા પ્રમાણે છે.
વિસ્તાર: 2.76 લાખ ચોરસ ફૂટ (લગભગ 120 એકર)માં ફેલાયેલું
ઊંચાઈ અને માપ: મુખ્ય શિખર 270 ફૂટ ઊંચું, કુલ લંબાઈ 1080 ફૂટ અને પહોળાઈ 540 ફૂટ
શિખરો અને મંદિરો: 12 શિખરો (મુખ્ય 270 ફૂટ), 22 મંદિરો (રામ-સીતા મુખ્ય), 18 દેવતાઓના મંદિરો
ક્ષમતા: 20,000 ભક્તો એકસાથે બેસીને પૂજા કરી શકશે
શિવલિંગ: વિશ્વનું સૌથી ઊંચું (33 ફૂટ) અને ભારે (210 ટન) એકજ ટુકડામાંથી કોતરેલું કાળું ગ્રેનાઈટ શિવલિંગ (મહાબલીપુરમથી લાવવામાં આવ્યું, 17 જાન્યુઆરી 2026ના રોજ સ્થાપના)
આર્કિટેક્ચર: અંકોર વાટ (કંબોડિયા), રામેશ્વરમ અને મીનાક્ષી મંદિરની પ્રેરણા; રામાયણના દ્રશ્યો કોતરેલા દિવાલો અને દરવાજા
આ પ્રોજેક્ટ પટનાના મહાવીર મંદિર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણપણે ફંડ કરવામાં આવી રહ્યો છે. મોટા ભાગના ખર્ચા દાન અને ટ્રસ્ટના સ્ત્રોતોમાંથી આવે છે. અચાર્ય કિશોર કુનલ (અવસર પૂર્વ આઈપીએસ અધિકારી)ના સ્વપ્ન પ્રોજેક્ટ તરીકે શરૂ થયેલું આ કાર્ય હાલ તેમના પુત્ર સયન કુનલ દ્વારા આગળ વધારવામાં આવી રહ્યું છે.
120 એકરમાં મંદિર, બજેટ અને ટાઈમલાઈન
મંદિર નિર્માણ માટે 120 એકર જમીન છે. તેની તેને જાનકી નગર તરીકે વિકસિત કરવામાં આવશે. અહીં કેટલાય આશ્રમ, ગુરુકૂળ, ધર્મશાળા વગેરે રહેશે. મંદિરનું પાઈલિંગ કામ કરનારી એજન્સી સનટેક ઈન્ફ્રાના અધિકારીઓએ જણાવ્યું કે, વિરાટ રામાયણ મંદિરમાં કુલ 3102 પિલર હશે. પાઈલિંગ કામમાં 1050 ટન સ્ટીલ અને 15 હજાર ક્યૂબિક મીટર કોંક્રીટનો વપરાશ થશે. નિર્માણમાં લાગતી સામગ્રી મહાવીર મંદિર આપશે.
પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ.500 કરોડ છે. જૂન 2023માં નિર્માણ શરૂ થયું છે અને 2026-2027 સુધીમાં (રામ નવમી 2027 સુધીમાં) પૂર્ણ થવાની શક્યતા છે. હાલ તબક્કાવાર કામ ચાલી રહ્યું છે, જેમાં શિવલિંગની સ્થાપના જાન્યુઆરી 2026માં થઈ ચૂકી છે.
વિશ્વનું સૌથી મોટું શિવલિંગ સ્થાપિત કરશે
મહાબલિપુરમમાં 250 ટન વજનના બ્લેક ગ્રેનાઈટ પથ્થરની શિલામાંથી મુખ્ય શિવલિંગની સાથે સહસ્ત્રલિંગમ પણ બનાવવામાં આવી રહ્યું છે. આઠમી શતાબ્દી બાદ સહસ્ત્રલિંગમનું નિર્માણ ભાકતમાં નથી થયું. શિવલિંગનું વજન 210 ટન, ઊંચાઈ 33 ફુટ અને ગોળાઈ 33 ફુટ હશે. આચાર્ય કિશોર કુણાલે જણાવ્યું કે, આટલા વજનવાળા શિવલિંગ માટે ચકિયાથી કેથવલિયાની 10 કિમીના અંતર સુધી રોડ અને પુલ પહોળા કરવા માટે બિહારના મુખ્યમંત્રી અને પથ નિર્માણમંત્રીને કર્યો છે.
આપણને શું ફાયદો?
પર્યટન બુસ્ટ: બિહારમાં ધાર્મિક પર્યટન વધશે, હોટલ, દુકાનો, ટેક્સી અને સ્થાનિક વ્યવસાયને ફાયદો થશે.
રોજગારી: હજારો નોકરીઓની તકો (નિર્માણ, પર્યટન, સેવા ક્ષેત્રમાં).
અર્થતંત્ર: બિહારની અર્થવ્યવસ્થા મજબૂત થશે, માળખાગત સુવિધાઓમાં સુધારો થશે.
સાંસ્કૃતિક જોડાણ: ઉત્તર અને દક્ષિણ ભારતને જોડશે (તમિલનાડુથી શિવલિંગ), અયોધ્યા-જનકપુર રામાયણ સર્કિટનો ભાગ બનશે.
આધ્યાત્મિક મહત્વ: રામાયણ વારસાને પ્રોત્સાહન, યુવાનોને ઈતિહાસ સાથે જોડાશે, ભારત-નેપાળની આધ્યાત્મિક નિકટતા વધશે.
આ મંદિર ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક શક્તિને વિશ્વ સમક્ષ રજૂ કરશે, જે લાખો શ્રદ્ધાળુઓને આકર્ષિત કરશે અને બિહારને ધાર્મિક પર્યટનનું નવું કેન્દ્ર બનાવશે.





















