Tilak Varma Injury Before T20 world Cup: ICC T20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. યુવા અને ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેન તિલક વર્માને ગંભીર ઇજા થઈ છે, જેના કારણે તે ન્યૂઝીલેન્ડ સામેની આગામી T20 સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. આ ઇજા T20 વર્લ્ડ કપમાં તેમની ભાગીદારી પર પણ સવાલ ઉભા કરી રહી છે.ભારતીય ટીમ માટે તિલક વર્મા મિડલ ઓર્ડરના મહત્વના સ્તંભ છે. તેમની આક્રમક બેટિંગ અને સ્થિરતા ટીમને મજબૂતી આપે છે. પરંતુ હવે આ ઇજાના કારણે ટીમ મેનેજમેન્ટને નવા વિકલ્પો વિચારવા પડશે. T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે, અને તે પહેલા ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ ટીમ માટે મહત્વની તૈયારી છે.
મેચ શરૂ થતાં પહેલા બગડી તબિયત
તિલક વર્મા વિજય હજારે ટ્રોફીમાં હૈદરાબાદ તરફથી કેપ્ટન તરીકે રમી રહ્યા હતા અને રાજકોટમાં હાજર હતા. રિપોર્ટ્સ અનુસાર, બુધવારે સવારે નાસ્તા પછી તેમને અચાનક તીવ્ર દુખાવો થયો. શરૂઆતમાં આને સામાન્ય સમસ્યા માનવામાં આવી, પરંતુ દુખાવો વધતા તેમણે BCCIના મેડિકલ ટીમ સાથે સંપર્ક કર્યો.ડોક્ટર્સની સલાહ પર તિલકને તરત રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમના વિવિધ સ્કેન કરવામાં આવ્યા. તપાસમાં ખબર પડી કે તેમને ટેસ્ટિક્યુલર ટોર્શન (ગંભીર ગ્રોઇન ઇજા) થઈ છે. આ રિપોર્ટ્સ બેંગલુરુમાં BCCIની મેડિકલ ટીમને મોકલવામાં આવ્યા.
તિલક વર્માને કારવવું પડ્યું ઓપરેશન, T20 વર્લ્ડ કપમાં રમવા પર ખતરો
તિલક વર્માને તાત્કાલિક ઓપરેશન કરાવવું પડ્યું છે. વિજય હજારે ટ્રોફી દરમિયાન મેચમાં તેમને ટેસ્ટિક્યુલર પેઇન થયું હતું, જેના કારણે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સ્કેનમાં ટેસ્ટિક્યુલર ટોર્શનની પુષ્ટિ થતા તુરંત સર્જરી કરવામાં આવી.સદનસીબે ઓપરેશન સફળ રહ્યું અને તિલક હાલ સ્થિર છે. તેમને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. આ ઇજા એટલી ગંભીર હોય છે કે તાત્કાલિક સારવાર જરૂરી હતી, નહીં તો કાયમી નુકસાન થઈ શકતું હતું. ટેસ્ટિક્યુલર ટોર્શન એક ઇમર્જન્સી સ્થિતિ છે, જેમાં તીવ્ર દુખાવો થાય છે અને તુરંત સર્જરીની જરૂર પડે છે. તિલકને આ સમસ્યા વિજય હજારે ટ્રોફી દરમિયાન થઈ, અને BCCIના સૂત્રો અનુસાર, રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં તેમની સર્જરી કરવામાં આવી.
T20 વર્લ્ડ કપમાં રમવા પર સસ્પેન્સ
ભારતને આ મહિને ન્યૂઝીલેન્ડ સામે T20 સિરીઝ રમવાની છે, અને ત્યારબાદ 7 ફેબ્રુઆરીથી T20 વર્લ્ડ કપ શરૂ થશે. તિલક વર્મા બંનેમાં ટીમના મહત્વના સભ્ય છે અને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન પાક્કું માનવામાં આવતું હતું.પરંતુ સર્જરી પછી તેમની વાપસી પર સસ્પેન્સ છે. ડોક્ટર્સ અનુસાર, રિકવરીમાં 3થી 4 અઠવાડિયા લાગી શકે છે, જેના કારણે વર્લ્ડ કપની શરૂઆતની મેચોમાં તેમની ભાગીદારી પર સવાલ છે.
ન્યૂઝીલેન્ડ સાથે T20 સિરીઝમાંથી બહાર થશે તિલક?
ભારત-ન્યૂઝીલેન્ડ T20 સિરીઝ 21 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. પાંચ મેચોની આ સિરીઝમાં તિલકનું રમવું મુશ્કેલ લાગી રહ્યું છે, કારણ કે રિકવરી માટે એક મહિના જેવો સમય લાગશે. જોકે, વર્લ્ડ કપમાં ફિટ થઈને વાપસીની આશા છે.આ ઇજા ટીમ ઇન્ડિયા માટે મોટી ચિંતાનો વિષય છે. હવે જોવાનું રહેશે કે તિલક કેટલી જલ્દી ફિટ થઈને મેદાન પર પરત ફરે છે.





















