Home Gujarat Surat Bharuch Jama Masjid Dispute Surat Bhutiya Demolition Prafull Panseriya Statement Jain Temple Claim

"નિયમો મુજબ જ કાર્યવાહી થઈ છે" : ભરૂચથી ભૂતિયા ડિમોલિશન સુધીના બે ચર્ચિત મુદ્દા પર મંત્રીનું સ્ટેન્ડ સ્પષ્ટ

Bharuch Jama Masjid surat Demolition Prafull Pansheriya
Published by: Nirali Gohil
Last Updated: Jun 13, 2026, 09:29 AM IST

Bharuch Jama Masjid surat Demolition Prafull Pansheriya: ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલો વિવાદ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. જામા મસ્જિદ મૂળ જૈન મંદિર હતી તેવા દાવા સાથે સંત સમિતિ અને જૈન સમાજ દ્વારા કાનૂની લડત લડાઈ રહી છે, ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ સમગ્ર મામલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ભરૂચની મુલાકાત દરમિયાન મીડિયા સાથે વાત કરતાં મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ જણાવ્યું હતું કે જામા મસ્જિદ સંબંધિત સમગ્ર મામલો હાલ ન્યાયિક પ્રક્રિયા હેઠળ છે અને કોર્ટ જે નિર્ણય કરશે તે સંપૂર્ણપણે કાયદા અને ન્યાયના આધારે જ આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકાર ન્યાયિક પ્રક્રિયાનો સન્માન કરે છે અને કોર્ટના નિર્ણયને અનુસરશે.

જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને વિવાદ

ભરૂચની જામા મસ્જિદને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સંત સમિતિ અને જૈન સમાજના કેટલાક પ્રતિનિધિઓએ દાવો કર્યો છે કે વર્તમાનમાં જામા મસ્જિદ તરીકે ઓળખાતું આ સ્થળ મૂળ જૈન મંદિર હતું. આ દાવાને લઈને વિવિધ દસ્તાવેજો અને ઐતિહાસિક પુરાવાઓના આધારે કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ મામલો હાલ કોર્ટમાં હોવાથી બંને પક્ષો પોતાના દાવા અને પુરાવા રજૂ કરી રહ્યા છે. રાજ્યભરમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને વિવિધ ધાર્મિક તેમજ સામાજિક સંગઠનો તેની પર નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો: "ડિમોલિશન કોણે કર્યું તેની ખબર ન હોય તો કમિશનર રાજીનામું આપે": ભૂતિયા ડિમોલિશનમાં મેવાણીનો પ્રહાર, CBI-SIT તપાસની ઉઠાવી માંગ

“જે નિર્ણય આવશે તે ન્યાય આધારિત આવશે”

મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ મુદ્દે કોઈપણ પ્રકારની રાજકીય ટિપ્પણી કરવી યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે, સમગ્ર પ્રક્રિયા કોર્ટમાં ચાલી રહી છે અને જે પણ ચુકાદો આવશે તે કાયદાકીય અને ન્યાયિક માપદંડોના આધારે આવશે. તેમણે લોકોને પણ અપીલ કરી કે મામલો કોર્ટમાં હોવાથી સૌએ શાંતિ અને સંયમ જાળવવો જોઈએ અને ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થવા દેવી જોઈએ.

સુરતના ભૂતિયા ડિમોલિશન મામલે પણ આપ્યું નિવેદન

ભરૂચમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન સુરતના ચર્ચિત ભૂતિયા ડિમોલિશન મુદ્દે પણ પ્રફુલ્લ પાનસેરીયાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે,સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સંપૂર્ણપણે નીતિ-નિયમો અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કરવામાં આવી છે. મહાનગરપાલિકા પોતાના અધિકારક્ષેત્ર અને નિયમોને આધારે કામગીરી કરે છે અને આ કાર્યવાહી પણ તે જ પ્રક્રિયાનો ભાગ હોવાનું તેમણે જણાવ્યું.

આ પણ વાંચો: ભરૂચના જામા મસ્જિદ વિવાદમાં નવો વળાંક: જૈન સંતે સ્થળને 'સમડી વિહાર' ગણાવ્યું, ભોંયરામાં પ્રવેશ ન મળતા ઉઠ્યા સવાલ

બંને મુદ્દાઓ પર સરકારની સાવચેત ભૂમિકા

જામા મસ્જિદ વિવાદ હોય કે સુરતનો ડિમોલિશન મુદ્દો, રાજ્ય સરકાર હાલ બંને મામલાઓમાં સાવચેત અને કાયદાકીય અભિગમ અપનાવી રહી હોવાનું મંત્રીના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે. એક તરફ ધાર્મિક સંવેદનશીલતા સાથે જોડાયેલા જામા મસ્જિદના વિવાદમાં કોર્ટના નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ શહેરી વિકાસ અને કાયદાકીય કાર્યવાહી સંબંધિત મુદ્દાઓમાં સ્થાનિક તંત્ર દ્વારા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું સરકારનું કહેવું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now