ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ભારત દુશ્મન દેશના આતંકવાદી ઠેકાણાઓ પર બોમ્બ ફેંકી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરના સરહદી જિલ્લાઓમાં પણ ગોળીબાર થઈ રહ્યો છે. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના સરહદી વિસ્તારોની તમામ હોસ્પિટલોમાં પથારી તૈયાર રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત હોસ્પિટલના કોઈપણ ડૉક્ટર કે કર્મચારીને રજા પર ન જવાની સૂચના આપવામાં આવી છે.
શાળાઓ બંધ રાખવાનો આદેશ
બીજી તરફ જમ્મુ અને કાશ્મીરમાં ઘણી શાળાઓને આગામી બે દિવસ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સ્થાનિક વહીવટીતંત્રે જણાવ્યું છે કે બારામુલ્લા કુપવાડા સબ-ડિવિઝન (ગુરેઝ) માં તમામ સરકારી અને ખાનગી શાળાઓ અને શ્રીનગર અને અવંતીપોરા એરપોર્ટની આસપાસની શાળાઓ 9 અને 10 મે 2025 ના રોજ બંધ રહેશે.






