Home Religion Astro Tips Avoid Sharing Personal Items For Good Luck Financial Stability News

ભૂલથી પણ ના વાપરશો બીજાની 5 વસ્તુઓ : નહીંતર થઈ જશો કંગાળ, શનિદેવ થશે નારાજ

ભૂલથી પણ ના વાપરશો બીજાની 5 વસ્તુઓ
Published by: Offbeat Team
| Last Updated: Dec 13, 2025, 02:15 AM IST

સામાન્ય રીતે આપણે સાંભળ્યું છે કે વહેંચવાથી પ્રેમ વધે છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં આ બાબતે થોડા અલગ નિયમો જણાવવામાં આવ્યા છે. શાસ્ત્રો મુજબ કેટલીક એવી અંગત વસ્તુઓ છે જે ક્યારેય પણ બીજા વ્યક્તિ સાથે શેર કરવી જોઈએ નહીં. જો તમે આ વસ્તુઓ બીજાને વાપરવા આપો છો અથવા બીજાની વસ્તુઓ તમે વાપરો છો તો તેનાથી ગ્રહોની અશુભ અસર તમારા જીવન પર પડે છે. આ નાની ભૂલ તમને આર્થિક રીતે પાયમાલ કરી શકે છે અને તમારા સારા નસીબને દુર્ભાગ્યમાં બદલી શકે છે. આવો જાણીએ તે ૫ વસ્તુઓ કઈ છે જેનું દાન કે લેવડદેવડ અશુભ માનવામાં આવે છે.

પગરખાં અને ચંપલની અદલાબદલી

જ્યોતિષ શાસ્ત્રમાં પગને શનિનું સ્થાન માનવામાં આવે છે. તેથી બૂટ અને ચંપલનો સીધો સંબંધ શનિ ગ્રહ સાથે હોય છે. ઘણીવાર લોકો ફેશનમાં કે જરૂરિયાત સમયે એકબીજાના બૂટ ચંપલ પહેરી લેતા હોય છે. પરંતુ શાસ્ત્રો કહે છે કે આવું કરવાથી શનિ દોષ લાગે છે. જ્યારે તમે કોઈ બીજાના પગરખાં પહેરો છો ત્યારે તેની સાથે જોડાયેલી નકારાત્મક ઊર્જા અને સંઘર્ષ તમારા જીવનમાં પ્રવેશી શકે છે. શનિદેવના કોપથી બચવા માટે ક્યારેય પોતાના પગરખાં બીજાને ન આપવા જોઈએ.

કપડાં પહેરવા અંગેના નિયમો

મિત્રો અને સંબંધીઓ વચ્ચે કપડાંની આપલે કરવી એ સામાન્ય બાબત છે. પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ આ યોગ્ય નથી. દરેક વ્યક્તિની એક અલગ ઊર્જા હોય છે જે તેના કપડાંમાં પણ હોય છે. બીજાના કપડાં પહેરવાથી તે વ્યક્તિના દુર્ભાગ્ય કે રોગની અસર તમારા પર થઈ શકે છે. આનાથી શારીરિક સમસ્યાઓ અને ત્વચાને લગતા રોગો પણ થઈ શકે છે. તેમજ નસીબ સાથ આપવાનું બંધ કરી દે છે.

વીંટી કે રત્ન

હાથની આંગળીઓમાં પહેરવામાં આવતી વીંટી કે રત્નો ગ્રહોને અનુકૂળ કરવા માટે પહેરવામાં આવે છે. આ વીંટી ક્યારેય પણ બીજાને પહેરવા માટે આપવી જોઈએ નહીં. ખાસ કરીને જે વીંટી તમે રોજ પહેરતા હોવ તે તો બિલકુલ શેર ન કરવી જોઈએ. જો તમે તમારી વીંટી બીજાને આપો છો તો તમારા ગ્રહોની શુભ અસર જતી રહે છે અને તમને નુકસાન થઈ શકે છે.

ઘરમાં વપરાતી સાવરણી

હિન્દુ ધર્મમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે ઘરની સાવરણી ક્યારેય કોઈ બહારની વ્યક્તિને આપવી જોઈએ નહીં. તેમજ બીજાની સાવરણી પણ વાપરવી જોઈએ નહીં. જો તમે આવું કરો છો તો ઘરમાંથી લક્ષ્મીજી રિસાઈ જાય છે અને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. ધન અને સમૃદ્ધિ ટકાવી રાખવા માટે સાવરણીનું દાન પણ વર્જિત માનવામાં આવે છે.

કાંડા ઘડિયાળ

ઘડિયાળ માત્ર સમય નથી બતાવતી પણ તે વ્યક્તિના સારા અને ખરાબ સમય સાથે જોડાયેલી હોય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘડિયાળની આપલે કરવાથી તમારા સમય પર અસર પડે છે. જો તમે તમારું ઘડિયાળ કોઈને આપો છો તો તમે તમારો સારો સમય તેને આપી દો છો તેવું માનવામાં આવે છે. તેનાથી તમારી પ્રગતિ અટકી શકે છે અને કામમાં અવરોધો આવી શકે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા