અનુપમ ખેરની સફળતાની સફર ઘણા સંઘર્ષ અને મુશ્કેલીઓનો કરતા કર્યો છે. અનુપમ ખેર કહે છે કે કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો પરના હુમલાઓથી બચીને તેમનો પરિવારે શિમલા સ્થળાંતર કર્યું હતું અને અનુપમ ખેરનો જન્મ ત્યાં જ થયો હતો.
અનુપમના પિતા વન વિભાગમાં કારકુન હતા અને આખો પરિવાર ભાગ્યે જ ઓછા પગારથી ગુજરાન ચલાવી શકતો હતો. ઘરમાં 14 લોકો હતા.
અનુપમ ખેરને અભિનયનો શોખ હતો અને તે તેમાંથી કારકિર્દી બનાવવા માંગતા હતા. તેમના કોલેજના દિવસો દરમિયાન અનુપમ ખેરે ચંદીગઢ યુનિવર્સિટીમાં થિયેટર ક્વોટા માટે અરજી કરી હતી. આ પછી અનુપમને ઓડિશન માટે બોલાવવામાં આવ્યા પરંતુ તેમની પાસે ચંદીગઢ જવા માટે પૈસા નહોતા.
સંસદ ટીવી સાથેની વાતચીતમાં અનુપમે કહ્યું કે તે ચંદીગઢ જઈને દરેક પરિસ્થિતિમાં ઓડિશન આપવા માગતા હતા, તેના માટે તેમણે પોતાના ઘરના મંદિરમાં રાખેલા સો રૂપિયા છૂપી રીતે ઉપાડી લીધા હતા. હકિકતમાં, તેમની માતા દુલારી ખેર મંદિરમાં થોડા રૂપિયા રાખતા હતા. અને ત્યાં 108 રૂપિયા ભેગા થયા હતા. જેમાંથી સો રૂપિયા કાઢ્યા અને બાકીના અનુપમ પાછા મુકી દિધા.
ઓડિશન આપવાના બહાને અનુપમ ચંદીગઢ ગયા હતા પરંતુ જ્યારે તેઓ સાંજે ઘરે પરત ફર્યા ત્યારે તેમણે જોયું કે ત્યાં હોબાળો થયો હતો અને પોલીસ ઘરે આવી હતી. પરિવારે ચોરીની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.
જો કે, બાદમાં અનુપમે તેના પિતાને સત્ય જણાવ્યું કે તેણે ઓડિશનમાં જવા માટે મંદિરમાંથી આ પૈસા લીધા હતા. તે પછી, તેણે તેની માતા સાથે મુશ્કેલ સમય પસાર કર્યો હતો.
અનુપમ કહે છે કે આ પછી મારા પિતા મારી તરફ આવ્યા, હું વધુ ડરી ગયો અને બૂમો પાડવા લાગ્યો કે હું અભિનેતા નહીં બનું, મને માફ કરી દો. પરંતુ પછી પિતા રોકાયા અને કહ્યું કે બસ કર, તારી પસંદગી થઈ ગઈ છે અને અનુપમ ખેરના હાથમાં કૉલ લેટર મૂકી દીધો.
ફિલ્મ 'સારાંશ' માં એક વૃદ્ધ વ્યક્તિની ભૂમિકા ભજવીને અનુપમ ખેરે માત્ર પોતાને જ સાબિત નથી કર્યા પરંતુ આગામી એક અઠવાડિયામાં તેમણે 57 ફિલ્મો સાઇન કરી હતી અને આ સિલસિલો આજે પણ ચાલુ છે.
500થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અનુપમ ખેર પાસે 450 કરોડ રૂપિયાની સંપત્તિ છે. અહેવાલો અનુસાર, અનુપમ ખેરની વાર્ષિક આવક લગભગ ત્રીસ કરોડ રૂપિયા છે.



















