Home National Akhilesh Yadav Reaction On Om Prakash Rajbhar Sp Split Claim

‘જે ડરી જશે, તે ભાગી જશે…’ : યુપીના મંત્રીના ‘સપા તૂટશે’ વાળા દાવા પર અખિલેશ યાદવનો જડબાતોડ જવાબ

Akhilesh Yadav
Published by: Viral Patel
Last Updated: Jun 17, 2026, 11:35 AM IST

Akhilesh Yadav: ઉત્તર પ્રદેશના રાજકારણમાં એકવાર ફરી નિવેદનોના તીર ચાલવા લાગ્યા છે અને આ વખતે નિશાના પર છે સમાજવાદી પાર્ટી (સપા). યુપી સરકારમાં કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે બુધવારે એવો દાવો કરીને રાજકીય ગલિયારાઓમાં હલચલ તેજ કરી દીધી કે સમાજવાદી પાર્ટીમાં પણ ટીએમસી (TMC) જેવી જ એક મોટી તૂટ થવાની છે. આ દાવા પર હવે ખુદ સપા ચીફ અખિલેશ યાદવ અને પાર્ટીના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવે તીખો પલટવાર કર્યો છે. અખિલેશ યાદવે રાજભરના દાવાઓને સદંતર ફગાવી દેતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘જે ડરી જશે, તે ભાગી જશે.’

મધરાતે RSS કાર્યાલય પર પેટ્રોલ બોમ્બ ફેંકવાનો પ્રયાસ : CCTVમાં કેદ થઈ ઘટના; BJPએ ગણાવી મોટી સાજિશ

રાજભરે શું દાવો કર્યો?

એયુપીના પંચાયતી રાજ અને અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે પોતાના દાવાઓને સો ટકા સાચા ગણાવ્યા. અખિલેશ યાદવના પૂર્વ સહયોગી રહી ચૂકેલા રાજભરે કહ્યું, ‘આ વાત બિલકુલ 100% સાચી છે. રાજભર જે કંઈ પણ કહે છે, ડંકે કી ચોટ પર અને સાચું કહે છે.’ રાજભરે દાવો કર્યો કે સપાના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવે એક લિસ્ટ તૈયાર કર્યું છે અને તે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને સોંપી દીધું છે. રાજભરે કહ્યું, ‘મેં અમિત શાહ અને રામગોપાલ યાદવ બંનેના ચહેરા પર સ્મિત જોયું છે. જ્યારે બે દિલ મળે છે, ત્યારે શબ્દો ભલે ખામોશ થઈ જાય, પણ વાતચીત પૂરી થઈ જાય છે.’ રાજભરના જણાવ્યા અનુસાર, તે ગુપ્ત પત્રમાં એવો સંદેશ આપવામાં આવ્યો છે કે આ નેતાઓને કોઈ નુકસાન ન થવું જોઈએ, અને બદલામાં આ નેતાઓ ભાજપમાં જોડાવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

અખિલેશ યાદવનો પલટવાર

રાજભરની આ આખી થિયરી પર પહેલા તો અખિલેશ યાદવે મજા લેતા કટાક્ષ કર્યો અને કહ્યું, ‘આખરે આ વાર્તા ક્યાં સુધી ચાલશે?’ ત્યારબાદ તેમણે ભાજપની રણનીતિ પર નિશાન સાધતા સ્વીકાર્યું કે ભગવા પક્ષ (ભાજપ) પાર્ટીઓને તોડવાનું કામ કરે છે. અખિલેશ યાદવે કહ્યું, ‘ભાજપ આ જ રીતે કામ કરે છે, બીજી પાર્ટીઓને તોડીને. તેમણે ભૂતકાળમાં પણ અમારા ઘણા સાંસદો અને ધારાસભ્યોને તોડ્યા છે.’ આ પછી અખિલેશ યાદવે સ્પષ્ટ કહ્યું, ‘જે લોકો ડરી જશે, તેઓ પાર્ટી છોડીને ચાલ્યા જશે. પરંતુ અમને આ સમયે ભાજપ સામે મજબૂતાઈથી લડવા માટે માત્ર બહાદુર લોકોની જ જરૂર છે.’

ઉદ્ધવ ઠાકરેને મોટો રાજકીય ઝટકો : 9માંથી 6 બળવાખોર સાંસદોએ શિંદે જૂથનો રસ્તો પકડ્યો, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર

જ્યારે રામગોપાલ યાદવ ભડક્યા

પત્ર સોંપવાના આરોપો પર ખુદ રાજ્યસભા સાંસદ રામગોપાલ યાદવ ખરાબ રીતે ભડકી ગયા હતા. તેમણે રાજભરના દાવાઓને બકવાસ ગણાવતા તીખા લહેજામાં કહ્યું, ‘જાઓ અને ખુદ અમિત શાહને પૂછી લો!’ રામગોપાલ યાદવે મીડિયા સાથે વાત કરતા કહ્યું, ‘તમારે ખુદ અમિત શાહ જીને પૂછવું જોઈએ કે શું મેં તેમને કોઈ પત્ર સોંપ્યો છે. આ દેશમાં કોઈ પણ ઓમ પ્રકાશ રાજભરને ગંભીરતાથી લેતું નથી. તે હંમેશા આવી જ વાતો કરે છે, તેમને ખુદને ખબર નથી હોતી કે તેઓ શું બોલી રહ્યા છે.’

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now