Home International Airbase Destroyed By India In Operation Sindoor Pakistan Was Defeated In Rebuilding It Destroyed

ફરી પાકિસ્તાન ઉંધા માથે પટકાયું! : ઓપરેશન સિંદૂરમાં જે એરબેઝ ભારતે કર્યું હતું તબાહ, તેને ફરીથી બનાવવામાં પાક નિષ્ફળ; ફરી તોડી પાડ્યું!

ફરી પાકિસ્તાન ઉંધા માથે પટકાયું!
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 01:47 PM IST

Murid Airbase Pakistan: વર્ષ 2025માં ભારતીય સેનાએ જે 'ઓપરેશન સિંદૂર' ચલાવ્યું હતું, તેના જખમ આજે પણ પાકિસ્તાન પર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. તાજેતરની સેટેલાઇટ તસવીરો પરથી ખુલાસો થયો છે કે પાકિસ્તાને તેના મુરિદ એરબેઝની એ ખાસ ઇમારતને સંપૂર્ણપણે તોડી પાડી છે, જે ભારતીય હુમલામાં ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ હતી. અહેવાલો મુજબ, પાકિસ્તાને પહેલા આ ઇમારતને રિપેર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારે નુકસાનને કારણે સમારકામ શક્ય બન્યું નહોતું. અંતે પાકિસ્તાની સેનાએ તેને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવાનો નિર્ણય લેવો પડ્યો.

મુરિદ એરબેઝ કેમ ખાસ હતું?

મુરિદ એરબેઝ પાકિસ્તાન એરફોર્સ માટે અત્યંત મહત્વનું માનવામાં આવે છે. અહીં આવેલી બિલ્ડિંગને કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરતરીકે ઓળખવામાં આવતી હતી, જ્યાંથી ડ્રોન અને અન્ય સૈન્ય પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવતું હતું. નિષ્ણાતોનું માનવું છે કે આ ઇમારતની અંદર ડ્રોન ઓપરેશન અને મિલિટરી કોમ્યુનિકેશન સાથે જોડાયેલી સિસ્ટમ્સ હતી.

આ ઉપરાંત, એરબેઝની અંદર એક અંડરગ્રાઉન્ડ મિલિટરી ફેસિલિટી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો, જેને ભારતીય સેનાએ નિશાન બનાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારતે 10 મે 2025ની રાત્રે આશરે 2 થી 5 વાગ્યાની વચ્ચે પાકિસ્તાનના અનેક સૈન્ય મથકો પર સચોટ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં પાકિસ્તાનના લગભગ 10 એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં મુરિદ એરબેઝ પણ સામેલ હતું. હુમલા બાદ સામે આવેલી તસવીરોમાં ઇમારતની છત તૂટેલી અને આસપાસ મોટો ખાડો દેખાયો હતો, જે દર્શાવતું હતું કે મિસાઈલ કે કોઈ ખાસ હથિયારથી ઘાતક પ્રહાર કરવામાં આવ્યો હતો.

મહિનાઓ સુધી ચાલ્યું સમારકામ

હુમલા બાદ પાકિસ્તાને ઇમારતને ઢાંકવા માટે મોટા તાડપત્રી (તરપાલ)નો ઉપયોગ કર્યો હતો અને ત્યાં સમારકામ શરૂ કર્યું હતું. પરંતુ આંતરિક માળખાને એટલું નુકસાન થયું હતું કે તેને સુરક્ષિત બનાવવું અશક્ય હતું. હાલમાં સામે આવેલી સેટેલાઇટ તસવીરોમાં તે જગ્યાએ માત્ર કાટમાળ અને ખુલ્લી જમીન દેખાઈ રહી છે, જે સાબિત કરે છે કે સમગ્ર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે.

નિષ્ણાતોના મતે, આ પગલું એ વાતનો સંકેત છે કે ભારતીય હુમલાથી ઇમારતને ગંભીર અને કાયમી નુકસાન થયું હતું. જોકે પાકિસ્તાન તરફથી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ સેટેલાઇટ તસવીરોના આધારે એ સ્પષ્ટ છે કે મુરિદ એરબેઝની આ ઇમારત હવે સંપૂર્ણપણે નામશેષ થઈ ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now