એર ચીફ માર્શલ એ. પી. સિંહે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. હાલ પાકિસ્તાન સાથેની તણાવની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન મોદી સતત એક બાદ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રહ્યાં છે. જેમાં આજે એર ચીફ માર્શલ સાથે ખાસ મુલાકાત કરી છે.
આપને જણાવી દઈએ કે ભારતની જે પ્રમાણે તૈયારીઓ છે, તે ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે
આ પહેલા પણ ભારતીય વાયુ સેનાના લડાકુ વિમાન સુખોઈ, રાફેલ તેમજ જગુઆરે ગંગાએક્સપ્રેસ વે પર લેંડિંગ અને ટેકઓફ કર્યું હતું. આ એક્સપ્રેસનો ઉપયોગ ઈમરજન્સી સમયે વિમાનોના ટેકઓફ અને લેન્ડિંગ માટે તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં હાઈવેને થોડા સમય માટે બંધ રાખીને વાયુ સેનાના ઉપયોગમાં લઈ શકાય.
#WATCH | Shahjahanpur: The Indian Air Force (IAF) is conducting take-off and landing exercises on the Ganga Expressway in Uttar Pradesh
— ANI (@ANI) May 2, 2025
The exercise is being organised to assess the expressway’s potential as an alternative runway during times of war or national emergencies. pic.twitter.com/0a7rIGg4Sv
જે પ્રમાણે વાયુ સેનાની તૈયારીઓ છે, શક્યતા છે કે આ વખતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં વાયુસેનાની પણ મોટી ભૂમિકા હોય. પરંતુ હાલ પીએમ મોદી અને એર ચીફ માર્શલ વચ્ચેની બેઠકમાં શું નિર્ણયો લેવાશે તેના પર સૌની નજર રહેશે





