અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં 10 કિન્નરોએ એક પરિવાર પર હુમલો કર્યો અને ઘર ખાલી કરવાની ધમકી આપી હતી. કિન્નરોએ હથોડા અને લાકડીઓનો ઉપયોગ કરીને ઘરમાં તોડફોડ કરી હતી. કિન્નરોએ ઓડી કાર, ટીવી અને અન્ય વસ્તુઓને નુકસાન પહોંચાડ્યું હોવાની માહિતી મળી રહી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં 10 કિન્નરોએ એક પરિવાર પર હુમલો કર્યો અને ઘર ખાલી કરવાની ધમકી આપી. કિન્નરોએ હથોડા અને લાકડીનો ઉપયોગ કરીને ઘરમાં તોડફોડ કરી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.. પીડિત શિવાની વ્યાસ (20) એ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. શિવાનીના જણાવ્યા મુજબ, જ્યારે તે તેના પરિવાર સાથે ઘરે હતી, ત્યારે 10 કિન્નરો પાછળના દરવાજાથી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં તોડફોડ કરવા લાગ્યા હતા.
હથિયારોથી સજ્જ કિન્નરોએ પરિવારને ડરાવ્યો, ઘર ખાલી કરવાની ધમકી આપી અને તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. ડરના કારણે પરિવારના સભ્યોએ પોતાને એક રૂમમાં બંધ કરી લીધા. પછી કિન્નરોએ ઘરમાં રાખેલી ઓડી કાર, વોટર કુલર, વોશબેસિન, ડાઇનિંગ ટેબલ, ટીવી, સીસીટીવી કેમેરા અને એક એક્ટિવા સ્કૂટર તોડી નાખ્યા હતા. પરિવારે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી, પરંતુ પોલીસ આવે તે પહેલાં જ બધા કિન્નરો ભાગી ગયા. વાડજ પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવીને કામિની દે, જીયા દે, હિના દે, સાવન દે, ગઝાલા દે, સોનમ દે, રિમઝીમ દે, અંજના દે, કરીના દે અને ઇશિતા દે વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી
પોલીસે જણાવ્યું કે તેમણે તમામ આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 333, 296(b), 351(3), 324(5), 189(2), 189(4), 190, 61 હેઠળ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. છે. આ ઘટના બાદ પીડિત પરિવાર ખૂબ જ ડરી ગયો છે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






