અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આઝાદ સોસાયટી પાસે બીરજુ એપાર્ટમેન્ટના જી બ્લોકની પાણીની ટાંકી પડવાની ઘટના સામે આી છે. જે ઘટનાની જાણ ફાયરની ટીમને થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.
કેટલાક લોકો ફસાયા હતા
પાણીની ટાંકી ધરાશાયી થવાથી જી બ્લોકમાં રહેતા કેટલાક લોકો ફસાયા હતા. જેના પગલે તે લોકોને ઉપરના ફ્લોરથી નીચ ઉતારવા માટે ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
10થી વધારે લોકોનું રેસ્ક્યુ કરાયું
ફાયર વિભાગને જાણ થતાં તેઓ ઈમરજન્સી વ્હીકલ, સ્ટાફ સહિત ઘટના સ્થળે પહોચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં 10થી વધારે લોકોને સહી સલામત લેડરની મદદથી નીચે ઉતાર્યા હતાં. જે દરમિયાન એક વૃદ્ધાને પગે ફ્રેકચર થયું હતું, જેમને પણ સિડીના ભાગેથી નીચે ઉતારવામાં આવ્યા હતા.
વતનમાં પધાર્યા પીએમ મોદી: હાલારી પાઘડીમાં જનસભાને સંબોધન, આજે જામનગરમાં રાત્રિ રોકાણ






