Lt Gen Rajiv Ghai Promotion : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ પછી પાકિસ્તાને હુમલો કરવાનો એક નાપાક પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય સેનાએ હવામાં ડ્રોન અને મિસાઇલો તોડી પાડ્યા. ઓપરેશન સિંદૂરની સફળતા પછી લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈને પ્રમોશન મળ્યું છે.
લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈને બઢતી આપવામાં આવી છે. સરકારે રાજીવ ઘાઈને ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા છે. સેનાના તમામ ઓપરેશનલ ક્ષેત્રો ડેપ્યુટી ચીફ ઓફ આર્મી (સુરક્ષા) ને રિપોર્ટ કરે છે. ઉપરાંત લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) નો હવાલો સંભાળવાનું ચાલુ રાખશે.
સંરક્ષણ મંત્રાલયે આપી જાણકારી
સંરક્ષણ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને રાજીવ ઘાઈના પ્રમોશન અંગે માહિતી આપી. આ અંગે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય સેના અને ગુપ્તચર એજન્સી સહિત અન્ય મહત્વપૂર્ણ વિભાગો વચ્ચે સંકલન કરવા માટે ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (સ્ટ્રેટેજી) નું પદ બનાવવામાં આવ્યું છે. આ ભારતીય સેનાના મહત્વપૂર્ણ પદોમાંનું એક મહત્વપૂર્ણ પદ છે.
ઘણા મોટા ઓપરેશન્સનું નેતૃત્વ કર્યું છે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ
તમને જણાવી દઈએ કે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ કુમાઉ રેજિમેન્ટના વરિષ્ઠ અધિકારી છે. તેમણે ભારતીય સેનામાં તેમની સેવા દરમિયાન ઘણા મોટા ઓપરેશન્સનું નેતૃત્વ કર્યું હતું. DGMO ની જવાબદારી સંભાળતા પહેલા તેઓ ચિનાર કોર્પ્સના GOC રહી ચૂક્યા છે. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામેના ઘણા ઓપરેશન્સમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.






