Surendranagar land scam case : સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિતના આરોપીઓ પર કાર્યવાહીનો સંકજો વધુ કસાયો છે. આ ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ACBએ ગુનો નોંધી તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. સુરેન્દ્રનગર એ.સી.બી.પો.સ્ટે. ગુ.ર.નં.07/2025, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988(સુધારો-2018)ની કલમ- 12, 13(1)(બી) તથા 13(2), 7 મુજબના આરોપીઓ (1) ચંદ્રસિંહ મોરી, નાયબ મામલતદાર સુરેન્દ્રનગર, વર્ગ-3 (2) રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, કલેકટર, સુરેન્દ્રનગર વર્ગ-1 (3) મયુર ગોહીલ, કલાર્ક જિલ્લા કચેરી સુરેન્દ્રનગર, વર્ગ-3 (4) જયરાજસિંહ ઝાલા, પી.એ. ટુ કલેકટર સુરેન્દ્રનગર, વર્ગ-3 નાઓ વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
6 અધિકારીઓની તપાસ ટીમ રચવામાં આવી
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના નિયામક પીયૂષ પટેલ નાઓએ આ ગુના તેમજ આરોપીઓની અપ્રમાણસર મિલકત વસાવ્યા સબંધે તટસ્થ, નિષ્પક્ષ અને ઝડપી તપાસ સારૂ અધિક નિયામક બિપિન અહિરેના વડપણ હેઠળ જુદા-જુદા અધિકારીઓને સાથે રાખીને એક S.I.T. ની રચના કરી છે. જેમાં 6 અધિકારીઓની તપાસ ટીમ રચવામાં આવી છે.
SIT માં કોનું કોનું સમાવેશ કરવામાં આવ્યું?
બી.જે.પંડ્યા - નાયબ નિયામક,વહીવટ એ.સી.બી. અમદાવાદ
કે.એચ.ગોહિલ - ઇ.ચા. મદદનીશ નિયામક, રાજકોટ એ.સી.બી. એકમ, રાજકોટ
આર.બી.દેસાઇ - મદદનીશ નિયામક, એ.સી.બી. મુખ્ય મથક,અમદાવાદ
ડી.એન.પટેલ - પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે
એમ.ડી.પટેલ - પોલીસ ઇન્સ્પેક્ટર, સુરેન્દ્રનગર એ.સી.બી. પો.સ્ટે
પી.એ.દેકાવાડીયા - પોલીસ ઇન્સ્પેક્ટર, મોરબી એ.સી.બી. પો.સ્ટે





















