આમ આદમી પાર્ટીના નેતા નીતન નંદા પર હુમલો થયો હતો. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે ચંદીગઢ પીજીઆઈ રિફર કરવામાં આવ્યા છે. અહેવાલ છે કે આપ નેતા એક લગ્નમાં હાજરી આપી રહ્યા હતા જ્યાં તેમના પર હુમલો થયો હતો.
મળતી માહિતી અનુસાર, આનંદપુર સાહિબ વિધાનસભા મતવિસ્તારના આમ આદમી પાર્ટીના નેતા નીતન નંદાને એક સમારોહ દરમિયાન ગોળી મારી દેવામાં આવી હતી, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. નંદા સમરોહમાં હાજરી આપવા પહોંચ્યા ત્યારે આ ઘટના બની હતી. ગોળીબારથી ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો અને હાજર લોકોમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો.
ઘાયલ નીતન નંદાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ આનંદપુર સાહિબ લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરોએ તેમને ચંદીગઢ પીજીઆઈ રિફર કર્યા હતા. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગોળી તેમના શરીરમાં ઘૂસી ગઈ હતી અને તેમના માથાના પાછળના ભાગમાં વાગી હતી.
ઘટનાની માહિતી મળતાં આનંદપુર સાહિબ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોરોની ઓળખ માટે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.






