Home Entertainment Aamir Khan Confirms Third Marriage Gauri Spratt

આમિર ખાને ત્રીજા લગ્નની ખબર કન્ફર્મ કરી : 5 જુલાઈએ ગૌરી સાથે લગ્ન

Aamir Khan confirmed news of his third marriage
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 06, 2026, 07:16 AM IST

મીડિયા સાથેની વાતચીતમાં અભિનેતાએ કહ્યું- 25 વર્ષ જૂની મિત્રતા હવે લગ્નમાં બદલાશે

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને સોશિયલ મીડિયા અને મીડિયા જગતમાં ચાલી રહેલી અટકળોનો અંત આણતા પોતાના ત્રીજા લગ્નની જાહેરાત કરી દીધી છે. આમિરે તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરવાના સમાચારને સત્તાવાર રીતે કન્ફર્મ કર્યા છે. મીડિયા સાથે વાતચીત કરતા આમિર ખાને જણાવ્યું કે, "હું અત્યારે અમેરિકામાં છું અને લગ્નની વાતો બિલકુલ સાચી છે. અમે આગામી 5 July ના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છીએ."

અગાઉ આમિરે એક નિવેદનમાં કહ્યું હતું કે લગ્ન તેની પ્રાથમિકતા નથી, પરંતુ હવે તેણે સ્વીકાર્યું છે કે સમય સાથે બંનેની ભાવનાઓ બદલાઈ છે અને તેઓ પોતાના સંબંધને આગલા સ્તર પર લઈ જવા માટે તૈયાર છે. આમિરે ઉમેર્યું કે તે મનથી ગૌરીને પોતાની પત્ની માની જ ચૂક્યો છે અને હવે આ સંબંધને કાયદેસર નામ આપવાનો યોગ્ય સમય છે.

કોણ છે આમિર ખાનની થનારી પત્ની ગૌરી સ્પ્રેટ?

ગૌરી સ્પ્રેટ બેંગલુરુની વતની છે અને તે એક સફળ સલૂન આંત્રપ્રિન્યોર તથા ફેશન પ્રોફેશનલ છે. તે મિશ્ર સંસ્કૃતિ ધરાવતા પરિવારમાંથી આવે છે, જેમાં તેના પિતા તમિલ-બ્રિટિશ અને માતા પંજાબી-આઇરિશ મૂળના છે. ખાસ વાત એ છે કે ગૌરી 1920 ના દાયકામાં ભારતના સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા બ્રિટિશ સામ્યવાદી ફિલિપ સ્પ્રેટની પૌત્રી છે.

ગૌરીએ 'યુનિવર્સિટી ઓફ ધ આર્ટ્સ લંડન'માંથી ફેશન અને સ્ટાઇલિંગનો અભ્યાસ કર્યો છે. હાલમાં તે મુંબઈમાં પ્રખ્યાત 'બીબ્લન્ટ' (BBlunt) સલૂન ચલાવે છે. ગૌરી પણ અગાઉ પરિણીત હતી અને તેને 7 વર્ષનો એક દીકરો છે. આમિર અને ગૌરી એકબીજાને છેલ્લા 25 વર્ષથી ઓળખે છે અને છેલ્લા 2 વર્ષથી મુંબઈમાં લિવ-ઇન રિલેશનશિપમાં સાથે રહે છે. આમિરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ગૌરીના જીવનમાં આવવાથી તે હવે પૂર્ણતા અનુભવે છે.

આમિર ખાનના અગાઉના બે લગ્ન અને છૂટાછેડા

આમિર ખાનના આ ત્રીજા લગ્ન હશે. આ પહેલા તેના જીવનમાં બે પત્નીઓ આવી ચૂકી છે:

  • રીના દત્તા (1986-2002): આમિરે પહેલા લગ્ન 1986 માં ફિલ્મ પ્રોડ્યુસર રીના દત્તા સાથે કર્યા હતા. આ લવ મેરેજ 16 વર્ષ ચાલ્યા અને તેમને બે બાળકો જુનૈદ ખાન અને આઇરા ખાન છે. વર્ષ 2002 માં બંને અલગ થયા. આમિરે સ્વીકાર્યું હતું કે તે સમયે કામની વ્યસ્તતાને કારણે તે પરિવારને સમય આપી શક્યો ન હતો, જેના લીધે છૂટાછેડા થયા અને તે ડિપ્રેશનમાં પણ ચાલ્યો ગયો હતો.

  • કિરણ રાવ (2005-2021): રીનાથી અલગ થયા બાદ આમિરે વર્ષ 2005 માં ડિરેક્ટર કિરણ રાવ સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને એક પુત્ર આઝાદ છે. લગ્નના 15 વર્ષ બાદ, July 2021 માં બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. જોકે, છૂટાછેડા પછી પણ બંને વચ્ચે સારી મિત્રતા છે અને તેઓ સંયુક્ત રીતે દીકરાનો ઉછેર કરવાની સાથે બિઝનેસ પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now