Somnath Swabhiman Parva: સોમનાથ, તા. 11 જાન્યુઆરી 2026 — સોમનાથ સ્વાભિમાન પર્વના ઐતિહાસિક અવસરે PM નરેન્દ્ર મોદીની સભામાં જનસાગર ઉમટી પડ્યો હતો. આખા સભાસ્થળે ભક્તિ, રાષ્ટ્રીય ગૌરવ અને અડગ સ્વાભિમાનનો અનોખો સંગમ જોવા મળ્યો.
રક્ષાબહેન પરમાર ખાસ તૈયાર કરેલા હસ્તરચિત ચિત્રો
આ પ્રસંગે સોમનાથના સ્થાનિક નિવાસી રક્ષાબહેન પરમાર ખાસ તૈયાર કરેલા હસ્તરચિત ચિત્રો લઈને આવ્યા હતા. તેમણે માતા હીરાબા અને PM નરેન્દ્ર મોદીના પેન્સિલ સ્કેચ તેમજ અન્ય એક વિશેષ ચિત્ર તૈયાર કર્યા હતા. આ ચિત્રો લઈને તેઓ વડાપ્રધાન પ્રત્યે પોતાની ઊંડી લાગણી અને આદર વ્યક્ત કરવા આવ્યા હતા. રક્ષાબહેન ભાવુક શબ્દોમાં જણાવ્યું કે, "સોમનાથની પવિત્ર ભૂમિ પર જન્મ થયો તેનું ગૌરવ આજે બમણું થઈ ગયું છે. અડગ સ્વાભિમાન અને રાષ્ટ્રચેતનાના પ્રતીક સમા સોમનાથ ક્ષેત્ર તથા પ્રભાસની ધરતીને PM ના નેતૃત્વ દ્વારા વૈશ્વિક સ્તરે વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું છે."સોમનાથની દીકરી તરીકે તેમણે PM પ્રત્યે ઊંડો આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
સોમનાથનું મહત્વ
આ અવસરે સોમનાથનું મહત્વ વધુ ઉજાગર થયું અને ઉપસ્થિત જનમેદનીમાં ગૌરવની લાગણી વ્યાપી ગઈ હતી. આ ઘટના સોમનાથ સ્વાભિમાન પર્વના ઉદ્દેશ્યને વધુ મજબૂત બનાવે છે, જે મહમૂદ ગઝનવીના આક્રમણના 1,000 વર્ષ અને મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષની ઉજવણી સાથે જોડાયેલો છે. આવી ભાવનાત્મક ક્ષણો આખા દેશમાં રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ આપે છે! અહીં સોમનાથમાં PM ની સભા અને જનઉત્સાહના કેટલાક દૃશ્યો જોઈ શકાય છે.
આ ઐતિહાસિક પર્વ દરમિયાન આવી લાગણીઓ અને સમર્પણની ભાવના સોમનાથના સ્વાભિમાનને વધુ ઉજ્જવળ બનાવે છે!





















