Home Business 8th Pay Commission Salary Revision Demand Every 5 Years Gujarati

8મા પગાર પંચમાં મોટો ફેરફાર? : દર 10 વર્ષ નહીં, હવે 5 વર્ષમાં કેમ પગાર વધારો ઈચ્છે છે સરકારી કર્મચારીઓ?

8th Pay Commission
Published by: Viral Patel
Last Updated: May 06, 2026, 03:07 PM IST

8th Pay Commission: 8માં પગાર પંચની બેઠકોમાં કર્મચારી યુનિયનોએ એક મોટો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમનું કહેવું છે કે હવે દર 10 વર્ષને બદલે દર 5 વર્ષે પગારમાં સુધારો (Sallary Revision) થવો જોઈએ. મોંઘવારી અને રોજબરોજના વધતા ખર્ચને જોતા આ માંગ તેજ બની રહી છે.

શું છે 8મું પગાર પંચ?

8મું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોના પગાર, ભથ્થા અને પેન્શનમાં ફેરફાર નક્કી કરવા માટે બનાવવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય કર્મચારીઓની આવકને વર્તમાન આર્થિક પરિસ્થિતિઓ મુજબ અપડેટ કરવાનો છે. આ પંચ હાલમાં પરામર્શ અને સૂચનો લેવાના તબક્કામાં છે.

Advance Tax Alert: 15 જૂન પહેલા કોને ચૂકવવો પડશે ટેક્સ? : જો તમે ચૂકી જશો તો શું થશે?

હવે 5 વર્ષમાં સેલેરી રિવિઝનની માંગ

કર્મચારી યુનિયનોએ માંગ કરી છે કે પગાર પંચ દર 10 વર્ષને બદલે દર 5 વર્ષે લાગુ થવું જોઈએ. તેમનું કહેવું છે કે વર્તમાન વ્યવસ્થા આજના સમય પ્રમાણે જૂની થઈ ગઈ છે અને તેમાં ફેરફાર જરૂરી છે.

મોંઘવારી બની સૌથી મોટું કારણ

યુનિયનોનું કહેવું છે કે 10 વર્ષનો ગાળો ઘણો લાંબો છે, જેના કારણે મોંઘવારીને લીધે કર્મચારીઓની વાસ્તવિક આવક (Real Income) ઘટી જાય છે. જો દર 5 વર્ષે પગારમાં સુધારો કરવામાં આવે તો આવક પર મોંઘવારીની અસર ઓછી થશે.

CM બનવા જઈ રહેલા વિજય થલાપતિએ ખરીદ્યા છે આ ત્રણ કંપનીના શેર : પ્રાઈવેટ બેંકમાં કરાવી છે 85 કરોડની એફડી, જાણો વિગતે

ખાનગી અને બેંકિંગ ક્ષેત્ર સાથે સરખામણી

કર્મચારી નેતાઓએ જણાવ્યું કે બેંકિંગ અને ઘણા સરકારી પ્રોજેક્ટ્સમાં દર 5 વર્ષે પગાર સુધારવામાં આવે છે, જ્યારે ખાનગી ક્ષેત્રમાં આ સમયગાળો માત્ર 3 વર્ષનો હોય છે. આવી સ્થિતિમાં સરકારી કર્મચારીઓએ પાછળ રહેવું જોઈએ નહીં.

DA (મોંઘવારી ભથ્થું) કેમ પૂરતું નથી?

જોકે સરકાર દર વર્ષે મોંઘવારી ભથ્થા (DA) માં વધારો કરે છે, પરંતુ યુનિયનોનું કહેવું છે કે આ વધારો જીવનધોરણના વધતા ખર્ચને સંપૂર્ણપણે આવરી શકતો નથી. તેથી મોટો પગાર સુધારો જરૂરી છે. ઉદાહરણ તરીકે, એક કર્મચારીનો પગાર 10 વર્ષમાં માંડ બમણો થાય છે, જે ખાનગી ક્ષેત્રની સરખામણીમાં ઘણો ધીમો માનવામાં આવે છે. યુનિયનનું માનવું છે કે આના કારણે સરકારી નોકરીઓનું આકર્ષણ પણ ઘટી શકે છે.

ગ્રેચ્યુઈટીનું નવું ગણિત... 5 વર્ષ પહેલાં નોકરી છોડશો તો શું થશે? : રાજીનામું આપતા પહેલા જાણો આ જરૂરી નિયમો


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now