Home International 4 Devotees Returning From Maha Kumbh In Sonbhadra Died Hit By A Trailer

રવિવાર બન્યો ગોઝારો! : મહાકુંભમાંથી પાછા ફરી રહેલા 4 શ્રદ્ધાળુઓના મોત, બોલેરોના બે ફાડિયા, મરણચીસોથી ગૂંજ્યો રોડ

રવિવાર બન્યો ગોઝારો!
Published by: OBS Bureau
Last Updated: Feb 09, 2025, 06:04 AM IST

Sonbhadra Road Accident: રવિવારે સવારે યુપીના સોનભદ્રમાં એક ભયાનક અકસ્માત થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત થયા છે. જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટક્કર એટલી ગંભીર હતી કે બોલેરોના બે ફાડિયા થઈ ગયા છે. આ અકસ્માત દારણખારા નજીક થયો હતો.

પોલીસે જણાવ્યું કે શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન કરીને છત્તીસગઢના રાયપુર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બાભાણી નજીક એક ટ્રેલરે બોલેરોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ અકસ્માતમાં રાયપુરના રહેવાસી અનિલ પ્રધાન (37), રૂકમણી યાદવ (58), લક્ષ્મીબાઈ (30) અને ઠાકુર રામ યાદવ (58) ના મોત થયા હતા. જ્યારે દિલીપ દેવી, અભિષેક, હશિત, સુરેન્દ્રી દેવી, યોગી લાલ, આહાન અને રામકુમાર ઘાયલ થયા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અકસ્માત સવારે 6 વાગ્યાની આસપાસ થયો હતો. સામેથી આવી રહેલા એક હાઇ સ્પીડ ટ્રેલરે બોલેરોને ટક્કર મારી હતી. અકસ્માત પછી રસ્તા પર ચીસો અને બૂમો પડી રહી હતી.

અહેવાલ મુજબ, એક ઘાયલ વ્યક્તિએ જણાવ્યું કે બધા લોકો છત્તીસગઢના રાયગઢથી પ્રયાગરાજ સ્નાન કરવા આવ્યા હતા. સ્નાન કરીને પાછા ફર્યા બાદ આ અકસ્માત થયો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક