29 જૂનથી 1 જુલાઈ વચ્ચે ટ્રેનમાં મુસાફરી છે?: પહેલાં જાણી લો કઈ ટ્રેન રદ છે, રૂટ બદલાયા?


રાજકોટ: જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર-વેરાવળમાં ગત ૧૯ જૂને થયેલી રૂ. ૨.૪૯ કરોડની લૂંટનો ભેદ ઉકેલવામાં રૂરલ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મધ્યપ્રદેશના તેજોરિયા ગામ નજીકથી ત્રણ લૂંટારુઓને દબોચી લઈને રૂ. ૪૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે અન્ય પાંચ આરોપીઓ હજુ ફરાર છે. લૂંટારુઓએ શાપર સ્ટેટના ૭૭ વર્ષીય વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજાને તેમના ઘરમાં બંધક બનાવીને રૂ. ૨.૪૭ કરોડ રોકડા, દાગીના અને લાયસન્સવાળી રાઇફલની લૂંટ ચલાવી હતી. વૃદ્ધ ઘરમાં એકલા હોવાની બાતમીના આધારે આ ગુનાને અંજામ અપાયો હતો. હાલ પોલીસની ૧૫ ટીમો અન્ય ફરાર આરોપીઓને પકડવા વિવિધ રાજ્યોમાં તપાસ ચલાવી રહી છે.
અમદાવાદ: ૧૪૯મી રથયાત્રા પૂર્વે આજે જેઠ સુદ પૂર્ણિમાએ ભગવાન જગન્નાથજીની પરંપરાગત જળયાત્રા સાબરમતી નદીના ભૂદર આરે પહોંચી હતી. ત્યાં શાસ્ત્રોક્ત વિધિથી ગંગા પૂજન કર્યા બાદ સંતો અને મહાનુભાવોએ બોટ મારફતે નદીની વચ્ચે જઈને ૧૦૮ પવિત્ર કળશમાં જળ ભર્યું હતું, જેને લઈને હવે યાત્રા નિજ મંદિરે પરત રવાના થઈ છે. આ પવિત્ર જળ વડે મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો શોડષોપચાર વિધિથી ભવ્ય જળાભિષેક કરાશે. ત્યારબાદ પ્રભુ ગજવેશ ધારણ કરશે અને સાંજે ૪ વાગ્યે વાજતે-ગાજતે સરસપુર ખાતે પોતાના મોસાળ પહોંચશે, જ્યાં તેઓ ૧૫ દિવસ રોકાશે.
અંબાજી: ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં જેઠ સુદ પૂનમ અને વટ સાવિત્રી પૂર્ણિમા નિમિત્તે ભક્તિનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી અને 'નાના અંબાજી' તરીકે જાણીતા ખેડબ્રહ્મા સ્થિત શ્રી અંબિકા માતાજીના મંદિરે વહેલી સવારથી જ હજારો માઈભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. પવિત્ર પર્વે મંદિરો 'જય અંબે'ના જયઘોષથી ગુંજી ઉઠ્યા છે. આ ખાસ દિવસે મહિલાઓમાં વટ પૂર્ણિમાના વ્રતનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન આ પાવન દિવસે સમગ્ર વાતાવરણ ભક્તિના રંગમાં રંગાયું છે.
વલસાડ: જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરી છે. વલસાડ શહેર ઉપરાંત ગુંદલાવ, ઘડોઈ, ગોરવાડા અને કલવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. જોકે, લાંબા વિરામ બાદ શરૂ થયેલા આ રાઉન્ડમાં હજુ સુધી વાવણીલાયક પૂરતો વરસાદ વરસ્યો નથી. જેને કારણે સ્થાનિક ખેડૂતોમાં ચિંતાનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. હાલમાં ધરતીપુત્રો ચોમાસાના સારા વરસાદની આશા સાથે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.
અમદાવાદ: જમાલપુર જગન્નાથ મંદિરથી આજે જેઠ સુદ પૂર્ણિમાએ ૧૪૯મી રથયાત્રા પૂર્વે પરંપરાગત જળયાત્રા ધામધૂમથી નીકળી છે. ૧૨ હાથી, બળદગાડા અને 'જય જગન્નાથ'ના નાદ સાથે યાત્રા સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચશે. ત્યાં શાસ્ત્રોક્ત વિધિથી ગંગા પૂજન બાદ ૧૦૮ કળશમાં પવિત્ર જળ ભરી મંદિરે લવાશે, જેનાથી ભગવાનનો ભવ્ય જળાભિષેક કરાશે. ત્યારબાદ ભગવાન ગજવેશ ધારણ કરશે અને સાંજે ૪ વાગ્યે વાજતે-ગાજતે સરસપુર ખાતે પોતાના મોસાળ (રણછોડરાય મંદિર) પહોંચશે. પ્રભુ આગામી ૧૫ દિવસ સુધી મોસાળમાં જ રોકાશે, જ્યાં ભક્તો તેમના દર્શનનો લાભ લઈ શકશે.
અમદાવાદ: જમાલપુર જગન્નાથજી મંદિર ખાતેથી આગામી ૧૬ જુલાઈએ યોજાનારી ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે પરંપરાગત જળયાત્રાનો ભક્તિમય પ્રારંભ થયો છે. સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરેથી વૈદિક વિધિ સાથે લાવેલા ૧૦૮ કળશના પવિત્ર જળથી ભગવાનનો જળાભિષેક કરાશે, ત્યારબાદ પ્રભુ ગજવેશમાં દર્શન આપશે. બળદગાડા, ગજરાજો અને કાવડિયાઓ સાથે નીકળેલી આ યાત્રામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ગત વર્ષની ઘટનાને ધ્યાને રાખી આ વખતે ગજરાજોની સુરક્ષા માટે રૂટ પર ડીજે-ઢોલ પર પ્રતિબંધ મુકાયો છે અને પશુચિકિત્સકોની વિશેષ ટીમો તૈનાત કરાઈ છે.




