દોઢ લાખ અરજીઓ છતાં 5 હજારથી વધુ RTE બેઠકો ખાલી!: મફત શિક્ષણની તક છતાં વાલીઓએ કેમ ન દાખવ્યો રસ? કારણ જાણીને ચોંકી જશો




ભરૂચ: આમ આદમી પાર્ટી (AAP) ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની કાયદાકીય મુશ્કેલીઓમાં મોટો વધારો થવાના સંકેત મળી રહ્યા છે. પોલીસ વિભાગની છબી ખરડાય તેવા વિવાદાસ્પદ નિવેદન આપવાના મામલે ભરૂચ કોર્ટે તેમની સામેની કાર્યવાહી આગળ ધપાવી છે. કોર્ટે ચૈતર વસાવાને સત્તાવાર નોટિસ પાઠવીને આગામી ૨૯ જુલાઈએ અદાલતમાં હાજર રહેવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ચૈતર વસાવા હાલ જેલમાં હોવાથી કોર્ટે આ નોટિસની બજવણી જેલ પ્રશાસન મારફતે જ કરવા સૂચના આપી છે. આ હાઈપ્રોફાઈલ મામલે આગામી સુનાવણી દરમિયાન તેમની પ્રત્યક્ષ હાજરી અત્યંત મહત્વપૂર્ણ રહેશે.
વડોદરા: શહેરના સોમા તળાવ બ્રિજ નીચે આવેલા ઘાઘરેટીયા વિસ્તારમાંથી આજે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. હાલમાં પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને મોતનું સાચું કારણ જાણવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
જામનગર: શહેરમાં કરોડો રૂપિયાની આર્થિક છેતરપિંડીનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. જામનગરની જાણીતી 'શ્રીજી શિપિંગ' કંપનીના અગ્રણી જીતેન્દ્ર હરિદાસ લાલે ગાંધીધામની 'મહેશ્વરી હેન્ડલિંગ એજન્સી'ના ડાયરેક્ટર ચંદનકુમાર મહેશ્વરી સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ શ્રીજી શિપિંગ અને સિદ્ધિ મરીન સર્વિસીસ પાસેથી બાર્જ, ટગ ભાડા અને મરીન સેવાઓ પેટે કરોડો રૂપિયાની સેવાઓ લીધી હતી, જેના અનુક્રમે ₹૨.૫૬ કરોડ અને ₹૧૩.૭૩ કરોડ ચૂકવ્યા નથી. આ ઉપરાંત, નરોતમકા કોમોડિટીઝ પાસેથી લીધેલી લોનના ₹૪.૨૬ કરોડ પણ પરત કર્યા નથી. આમ, વિવિધ સેવાઓ અને લોન મળીને કુલ ₹૨૦.૫૬ કરોડથી વધુની રકમ ઓળવી જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ આગામી ૨૬થી ૨૮ જૂન દરમિયાન ત્રણ દિવસ માટે ગુજરાતના મહેમાન બનશે. તેઓ ૨૬ જૂનની સાંજે અમદાવાદ આવી પહોંચશે, ત્યારબાદ બંને પાટનગરમાં વિવિધ મહત્વપૂર્ણ બેઠકો અને કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે. ૨૭ જૂને સવારે તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે હાજરી આપશે અને સાંજે રાણીપમાં વિકાસ કાર્યોના લોકાર્પણ સંબંધિત કાર્યક્રમમાં ભાગ લેશે. મુલાકાતના અંતિમ દિવસે એટલે કે ૨૮ જૂને, શાહ સ્વામિનારાયણ શાળાના કાર્યક્રમ સહિત રાજકીય અગ્રણીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજશે. જેને પગલે વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
અમદાવાદ: શહેરમાં ટ્રાફિક માટે મહત્વનો ગણાતો સુભાષ બ્રિજ હવે ઇતિહાસ બની જશે. કન્સલ્ટન્ટના નવા અભિપ્રાય મુજબ, આ બ્રિજના ગર્ડર અને સ્પાનમાં તિરાડો હોવાની સાથે પિલર પણ અત્યંત જૂના થઈ ગયા છે. તેથી માત્ર ઉપરનો ભાગ નહીં, પરંતુ આખો બ્રિજ પિલર સહિત સંપૂર્ણપણે તોડી પાડવાનો મોટો નિર્ણય લેવાઈ શકે છે. આ અંગે આજે સાંજે મ્યુનિસિપલ કમિશનર ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને ડિમોલિશનની આખરી યોજના નક્કી કરશે. જો કે, આ કવાયતને કારણે નવો બ્રિજ તૈયાર થવામાં વિલંબ થશે અને અમદાવાદીઓએ એપ્રિલ ૨૦૨૭ સુધી રાહ જોવી પડશે.




