ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, કેન્દ્ર સરકારે 15 મેના રોજ સવારે 5:20 વાગ્યા સુધી દેશભરના 24 એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. "ઓપરેશન સિંદૂર" અને પાકિસ્તાની સેના દ્વારા હુમલાના પ્રયાસ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધુ વધ્યો છે. આ પછી સરકારે આ મોટો નિર્ણય લીધો છે. અગાઉ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેરાત કરી હતી કે આ 24 એરપોર્ટ 10 મે સુધી નાગરિક ઉડાન કામગીરી માટે બંધ રહેશે.
કયા એરપોર્ટ બંધ રહેશે?
જે એરપોર્ટને બંધ કરવામાં આવ્યા છે તેમાં ચંદીગઢ, શ્રીનગર, અમૃતસર, કાંગડા-ગગ્ગલ, ભટિંડા, જેસલમેર, લુધિયાણા, જોધપુર, ભુંતર, કિશનગઢ, બિકાનેર, હલવારા, પઠાણકોટ, પટિયાલા, શિમલા, જમ્મુ, લેહ, મુન્દ્રા, જામનગર, હિરાસા (રાજકોટ), પોરબંદર, ભુજબંદરનો સમાવેશ થાય છે.






