દરેક તારીખ પોતાના અંદર અનેક ઐતિહાસિક પ્રસંગો અને યાદગાર ક્ષણો સમેટીને રાખે છે. 22 જુલાઈ ભારત માટે ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે 1947માં આ જ દિવસે બંધારણ સભાએ પિંગાલી વેંકૈયા દ્વારા તૈયાર કરાયેલા ત્રિરંગાને ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર્યો હતો. આ કારણે દર વર્ષે 22 જુલાઈએ રાષ્ટ્રીય ધ્વજ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. આ ઉપરાંત આજે રાષ્ટ્રીય કેરી દિવસ પણ ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ 22 જુલાઈના દિવસે ઇતિહાસમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ, જાણીતી વ્યક્તિઓની જન્મજયંતિ અને પુણ્યતિથિ વિશે.
22 જુલાઈની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ
1731: સ્પેને વિયેના સંધિ પર હસ્તાક્ષર કર્યા.
1775: જ્યોર્જ વોશિંગ્ટને અમેરિકન સેનાની કમાન સંભાળી. બાદમાં તેઓ અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા.
1918: ભારતના પ્રથમ પાયલોટ ઈન્દ્રલાલ રાયનું લંડન નજીક જર્મન વિમાનો સાથેની હવાઈ લડાઈ દરમિયાન અવસાન થયું.
1947: ભારતની બંધારણ સભાએ પિંગાલી વેંકૈયા દ્વારા ડિઝાઇન કરાયેલા ત્રિરંગાને ભારતના રાષ્ટ્રીય ધ્વજ તરીકે સત્તાવાર રીતે સ્વીકાર્યો.
1981: ભારતના પ્રથમ જીઓસ્ટેશનરી કોમ્યુનિકેશન સેટેલાઇટ APPLEએ કાર્ય શરૂ કર્યું.
1999: આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) દ્વારા સમાન કામ માટે સમાન વેતન સંબંધિત યોજનાને અમલમાં મૂકવામાં આવી.
2001: શેર બહાદુર દેઉબા નેપાળના વડાપ્રધાન બન્યા તેમજ જિનીવામાં G-8 દેશોની બેઠક યોજાઈ.
2004: નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા બેટી વિલિયમ્સની મેક્સિકોમાં ધરપકડ થઈ.
2005: લંડન પોલીસે બ્રાઝિલના નિર્દોષ નાગરિક જીન ચાર્લ્સ ડી મેનેઝિસને આતંકવાદી હોવાની શંકામાં ગોળી મારી હતી.
2008: પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિક અબ્દુલ કાદિર ખાને પોતાના પર લાગેલા પ્રતિબંધો સામે કોર્ટમાં અરજી દાખલ કરી.
2009: 22 જુલાઈનું સંપૂર્ણ સૂર્યગ્રહણ 21મી સદીના સૌથી લાંબા સંપૂર્ણ સૂર્યગ્રહણોમાંનું એક માનવામાં આવે છે.
રાષ્ટ્રીય ધ્વજ દિવસનું મહત્વ
ભારતમાં 22 જુલાઈને રાષ્ટ્રીય ધ્વજ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. સ્વતંત્રતા પ્રાપ્ત થવાના થોડા દિવસો પહેલાં, 22 જુલાઈ, 1947ના રોજ બંધારણ સભાએ ભારતના ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર્યો હતો.
ભારતનો રાષ્ટ્રધ્વજ પિંગાલી વેંકૈયા દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ છે. સફેદ પટ્ટાની મધ્યમાં ગાઢ વાદળી રંગનું 24 આરાવાળું અશોક ચક્ર છે, જે સારનાથના અશોક સ્તંભ પરથી પ્રેરિત છે.
ત્રિરંગાના ત્રણ રંગો દેશના સાહસ, શાંતિ, સત્ય, વિશ્વાસ અને સમૃદ્ધિના પ્રતિક માનવામાં આવે છે, જ્યારે અશોક ચક્ર સતત પ્રગતિ અને ગતિશીલ જીવનનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજનું લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ 2:3 રાખવામાં આવ્યું છે.
આજે રાષ્ટ્રીય કેરી દિવસ પણ ઉજવાય છે
દર વર્ષે 22 જુલાઈએ રાષ્ટ્રીય કેરી દિવસ પણ ઉજવવામાં આવે છે. કેરીને ફળોની રાણી તરીકે ઓળખવામાં આવે છે અને તે ભારતનું રાષ્ટ્રીય ફળ છે.
ભારતમાં માર્ચથી જૂન સુધી કેરીની મુખ્ય સિઝન રહે છે. ગુજરાતની કેસર કેરી વિશ્વભરમાં તેની મીઠાશ અને સુગંધ માટે જાણીતી છે.
એક અંદાજ મુજબ ભારતમાં 1,500થી વધુ જાતોની કેરી જોવા મળે છે. કેરીનો ઉપયોગ રસ, અથાણાં, આઈસ્ક્રીમ, શેક, મીઠાઈ અને અનેક વાનગીઓમાં થાય છે. કેરળના કન્નુર જિલ્લાના કન્નપુરમને 'સ્વદેશી કેરી હેરિટેજ વિસ્તાર' તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે.
22 જુલાઈએ જન્મેલા જાણીતા વ્યક્તિત્વ
મુકેશ (1923) – પ્રખ્યાત હિન્દી પ્લેબેક ગાયક
સંદીપ પાંડે (1965) – રેમન મેગ્સેસે એવોર્ડ વિજેતા સામાજિક કાર્યકર
વિનાયકરાવ પટવર્ધન (1898) – જાણીતા શાસ્ત્રીય સંગીતકાર
દેવેન્દ્ર ફડણવીસ (1970) – મહારાષ્ટ્રના રાજકારણી અને મુખ્યમંત્રી
અનંત કુમાર (1959) – પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી
રીતા બહુગુણા જોશી (1949) – રાજકારણી અને પૂર્વ સાંસદ
હિંમત શાહ (1933) – જાણીતા ભારતીય શિલ્પકાર
સરદાર તેજા સિંહ અકરપુરી (1894) – પ્રથમ લોકસભાના સભ્ય
22 જુલાઈની પુણ્યતિથિ
યતિન્દ્ર મોહન સેન ગુપ્તા (1933) – સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી નેતા
મુથુલક્ષ્મી રેડ્ડી (1968) – ભારતની પ્રથમ મહિલા ડૉક્ટરોમાંની એક, સામાજિક સુધારક અને પદ્મ ભૂષણ સન્માનિત વ્યક્તિત્વ





