ભારતીય સેનાની એર સ્ટ્રાઈકમાં સૌથી મોટા સમાચાર મળ્યા છે. આતંકી મસૂદ અઝહરના પરિવારના કુલ 14 લોકો આ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયા છે.
બહાવલપુરમાં કુલ 9 ઠેકાણાઓ પર ભારતીય સેનાએ કાર્યવાહી કરી અને તેમાં આતંકી સંગઠનોના મુખ્યાલયોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.
પહેલગામમાં આતંકી હુમલામાં અનેકના પરિવાર હતા ના હતા થઈ ગયા છે. અનેક સ્ત્રીઓના સિંદૂર પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેના જવાબમાં આ કાર્યવાહી થઈ છે. પરિવાર પર હુમલાનો જવાબ પરિવારને નષ્ટ કરીને ભારતીય સેનાએ આપ્યો છે .





