Home International 32 Airports In The Country Reopened Restrictions Were Imposed Due To India Pak

ભારતના પ્રવાસીઓ માટે સારા સમાચાર : દેશના 32 એરપોર્ટ ફરી શરૂ કરાયા, ભારત-પાક તણાવના કારણે મુકાયો હતો પ્રતિબંધ

ભારતના પ્રવાસીઓ માટે સારા સમાચાર
Published by: OBS Bureau
Last Updated: May 12, 2025, 12:29 PM IST

હવાઈ મુસાફરી કરતા ભારતીય યાત્રીઓ માટે એક રાહતના સમાચાર છે. ભારત-પાકિસ્તાન તણાવને કારણે જે નિર્ણય લેવાયો હતો તેમાં રાહત આપવામાં આવી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને જોતા અનેક પેસેન્જર એયરસ્પેસ બંધ કરવામાં આવ્યાં હતાં. જેને હવે સીઝફાયર સંધિ બાદ ફરી શરૂ કરવાના આદેશ અપાયા છે. જેની હવે યાત્રીકો પહેલાંની જેમ હવાઈ મુસાફરી કરી શકશે.

ભારત પાકિસ્તાન વચ્ચેના યુધ્ધના કારણે ભારતીય વાયુસેના દ્વારા 32 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા હતા. હવે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)એ આ 32 એરપોર્ટને ફરી ચાલુ કરવાનો આદેશ આપ્યા છે. આ નિર્ણથી પર્યટકોને પડતી હાલાકી હવે દૂર થશે. આ ઉપરાંત AAI દ્રારા મુસાફરોને નિયમિત અપડેટ્સ માટે એરલાઇન્સની વેબસાઇટ્સ પર નજર રાખવા અને એરલાઇન્સનો સીધો સંપર્ક કરીને તેમની ફ્લાઇટ્સની સ્થિતિ જાણવાની સલાહ આપવામાં આવી છે. આ નિર્મણથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરલાઇન્સને ફાયદો થશે.

રાજકોટનો હિરાસર એરપોર્ટ ચાલુ

આ 32 એરપોર્ટમાં રાજકોટનો હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. આ એરપોર્ટ આજ (12-05-25) થી ચાલુ કરવામાં આવ્યો છે. આ એરપોર્ટ પર હાલ સિવિલિયન ફ્લાઇટ ચાલુ કરવામાં આવી છે. યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 15 મે સુધી બંધ રાખવાની જાહેરાત કરાય હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video