MS Dhoni : એમએસ ધોનીની એક પોસ્ટે ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. ભારતના સ્ટાર ખેલાડીએ સંકેત આપ્યો છે કે, તે IPL 2026 પહેલા જર્સી નંબર 7 થી નંબર 8 પર સ્વિચ કરશે. નંબર 7 એ ફક્ત એક નંબર નથી, તે ધોની અને તેના ફેન્સ બંને માટે ભાવનાત્મક પ્રતીક છે. ધોનીનો જન્મ 7 મા મહિનાની 7 મી તારીખે થયો હતો, તેથી જ તે આ નંબર એમએસ ધોની પહેરે છે. તો, તે હવે તેની IPL કારકિર્દીના અંતિમ તબક્કામાં પોતાનો જર્સી નંબર કેમ બદલી રહ્યો છે?
એમએસ ધોનીના વીડિયોથી ફેન્સ થયા આશ્ચર્યચકિત
એમએસ ધોની IPL ના પહેલા એડિશનથી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી રહ્યો છે. જ્યારે CSK પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે તે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ માટે ફક્ત બે સીઝન સીઝન રમ્યો હતો. 2020 માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધા પછી, ધોની હવે ફક્ત IPL માં જ રમે છે. એવું માનવામાં આવે છે કે, IPL 2026 ખેલાડી તરીકે તેની છેલ્લી IPL સીઝન હોઈ શકે છે. પરંતુ તે પહેલાં, ધોનીએ પોતાની પોસ્ટથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.
શું એમએસ ધોની 8 નંબરની જર્સી પહેરશે?
ધોનીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને લખ્યું, "કેટલાક નંબર તમારી સાથે રહે છે, અને 7 નંબર મારા માટે તેમાંથી એક રહ્યો છે. પરંતુ આજે, હું તેને 8 માં બદલી રહ્યો છું." વીડિયોમાં 7 નંબરની જર્સી દેખાય છે, પરંતુ કોઈ તેને કાઢી નાખે છે અને તેની જગ્યાએ 8 નંબરની જર્સી લટકાવી દે છે. પરંતુ એમએસ ધોની તેની IPL કારકિર્દીના અંતિમ તબક્કામાં પોતાનો જર્સી નંબર કેમ બદલી રહ્યો છે? આ પ્રશ્ન દરેક ચાહક વિચારી રહ્યો છે. ધોનીએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, "તમને સમય જતાં કારણ ખબર પડશે." જોકે, વીડિયોમાં દેખાતી જર્સી CSK કે પીળા રંગની નથી. તે બ્લૂ કલરની છે, જેમાં ત્રિરંગાના પટ્ટા છે.
ધોનીની જર્સી રિટાયર થઈ ગઈ છે
એ નોંધવું જોઈએ કે 2023 માં, BCCI એ મહેન્દ્ર સિંહ ધોનીની જર્સી નંબર 7 ને રિટાયર કરવાનો નિર્ણય લીધો હતો. સચિન તેંડુલકરની જર્સી નંબર 10 ને પણ (2017 માં) રિટાયર કરવામાં આવી હતી. ધોનીના IPL કારકિર્દીમાં, તેમણે 278 મેચ રમી છે અને 242 ઇનિંગ્સમાં 5,439 રન બનાવ્યા છે, જેમાં 24 હાફ-સેન્ચુરીનો સમાવેશ થાય છે.




















