logo-img
Why Did This Actress Leave Bollywood After Reaching The Peak Of Her Career

કરિયરની ટોચ પર પહોંચીને આ અભિનેત્રીએ કેમ છોડ્યું Bollywood? : આજે છે Bollywoodની 'ગ્લેમર ગર્લ'નો બર્થડે!

કરિયરની ટોચ પર પહોંચીને આ અભિનેત્રીએ કેમ છોડ્યું Bollywood?
Published by: Offbeat Team
| Last Updated: Feb 11, 2026, 02:30 AM IST

આજે બોલિવૂડની ભૂતપૂર્વ સુંદર અભિનેત્રી અને પ્રખ્યાત પરોપકારી વ્યક્તિત્વ ટીના અંબાણીનો જન્મદિવસ છે. ગ્લેમરની દુનિયાથી લઈને બિઝનેસ સામ્રાજ્યના પ્રતિષ્ઠિત પરિવાર સુધીની તેમની સફર કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી.

ગ્લેમરસ શરૂઆત અને લોકપ્રિયતા

ટીનાજીના કરિયરનો પાયો 1975માં નંખાયો જ્યારે તેમણે 'ફેમિના ટીન પ્રિન્સેસ'નો ખિતાબ જીત્યો. દેવ આનંદની ફિલ્મ 'દેસ પરદેસ'થી તેમણે બોલિવૂડમાં શાનદાર ડેબ્યૂ કર્યું. જોકે, તેમને ખરી ઓળખ અને લોકપ્રિયતા ફિલ્મ 'કર્ઝ'ના સદાબહાર ગીત 'દર્દ-એ-દિલ'થી મળી, જે આજે પણ લોકોના હોઠ પર છે.

શા માટે અચાનક બોલિવૂડ છોડ્યું?

જ્યારે ટીના અંબાણી પોતાના કરિયરના સુવર્ણ શિખર પર હતા, ત્યારે 1987માં તેમણે અચાનક ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો. આ પાછળનું એક કારણ એ હતું કે તેઓ માત્ર ફિલ્મો પૂરતું મર્યાદિત રહેવાને બદલે દુનિયાને એક્સપ્લોર કરવા માંગતા હતા અને અભ્યાસ માટે અમેરિકા ચાલ્યા ગયા હતા. એવું પણ માનવામાં આવે છે કે રાજેશ ખન્ના સાથેના બ્રેકઅપ બાદ તેમણે પોતાની જિંદગીને એક નવી દિશા આપવા માટે બોલિવૂડથી અંતર બનાવી લીધું હતું.

અંબાણી પરિવારની વહુ અને સામાજિક કાર્ય

વર્ષ 1991માં તેમણે ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા અને અંબાણી પરિવારનો હિસ્સો બન્યા. આજે તેઓ માત્ર એક બિઝનેસમેનના પત્ની તરીકે જ નહીં, પણ પોતાની અલગ ઓળખ ધરાવે છે. તેઓ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ અને 'હાર્મની ફોર સિલ્વર્સ' ફાઉન્ડેશનના માધ્યમથી વડીલો અને સ્વાસ્થ્ય ક્ષેત્રે 8 થી 10 જેટલા મોટા પ્રોજેક્ટ્સ સંભાળી રહ્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now