Asfiya Khan Death: પ્રખ્યાત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આસ્ફિયા ખાનનું દુઃખદ અવસાન થયું છે. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર પનવેલ નજીક એક ભયાનક અકસ્માતમાં આસ્ફિયાનું મૃત્યુ થયું. આસ્ફિયાની સાથે આ અકસ્માતમાં વધુ ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આસ્ફિયાને પહેલા અકસ્માતમાં ગંભીર ઇજાઓ થઈ હતી, ત્યારબાદ તેને પનવેલની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલ પહોંચતાની સાથે જ આસ્ફિયાનું મોત નીપજ્યું હતું. સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સ પણ ફોટા શેર કરીને તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
કેવી રીતે થયો અકસ્માત?
પનવેલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રિપોર્ટ અનુસાર, ટોયોટા અર્બન ક્રુઝર (વાહન નંબર UP 32 MU 2287) ચલાવતો ડ્રાઇવર નૂર આલમ ખાન ખૂબ જ ઝડપે અને બેદરકારીથી ગાડી ચલાવી રહ્યો હતો. જેના કારણે વાહન નિયંત્રણ બહાર ગયું, જેના કારણે અકસ્માત થયો. ઘટના દરમિયાન હાજર લોકોના જણાવ્યા અનુસાર વાહન રસ્તા પર 3 થી 4 વખત પલટી ગયું અને ચકનાચૂર થઈ ગયું.
કોણ હતી આસ્ફિયા?
આસ્ફિયા ખાન લખનૌની રહેવાસી હતી. જે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને તેના ફોલોઅર્સ સાથે તેના જીવન સાથે જોડાયેલી માહિતી શેર કરતી હતી. આસ્ફિયા ટ્રેન્ડિંગ ગીતો પર રીલ્સ બનાવતી હતી, જે વાયરલ પણ થતી હતી. રીલ્સ બનાવવાની સાથે તે બ્રાન્ડ કોલેબોરેશન પણ કરતી હતી. ઇન્સ્ટા પર તેની 1 હજારથી વધુ પોસ્ટ હતી. ફોલોઅર્સ વિશે વાત કરીએ તો તેના 2 લાખ 33 હજાર ફોલોઅર્સ છે.
ફોલોઅર્સ પાઠવી રહ્યા છે શ્રદ્ધાંજલિ
આસ્ફિયાના મૃત્યુના સમાચાર સાંભળીને તેના ફોલોઅર્સ પણ ચોંકી ગયા છે. જ્યારે, સોશિયલ મીડિયા પર આસ્ફિયાના ફોલોઅર્સ તેનો ફોટો શેર કરીને તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેના ફોલોઅર્સ તેની છેલ્લી પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં પણ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.




















