Home National Tmc Rebellion Ritabrata Banerjee Lop West Bengal

TMCમાં મમતા સાથે જ 'ખેલા હોબે'! : 60 ધારાસભ્યોના સમર્થન સાથે હવે ઋતબ્રત બેનર્જી જ વિરોધ પક્ષના નેતા

Ritabrata Banerjee
Published by: Viral Patel
Last Updated: Jun 03, 2026, 02:19 PM IST

Ritabrata Banerjee: બંગાળમાં ચૂંટણી પરિણામો આવ્યા બાદથી મમતા બેનર્જી સાથે જ 'ખેલા હોબે' (રમત) થઈ રહી છે. ટીએમસી (TMC)માંથી હાંકી કઢાયેલા ઋતબ્રત બેનર્જી હવે 60 ધારાસભ્યોના સમર્થન સાથે વિરોધ પક્ષના નેતા બની ગયા છે. ખાસ વાત એ છે કે ઋતબ્રતે મમતાને જ પોતાના અધ્યક્ષ માન્યા છે. બીજી તરફ પાર્ટીમાં ભંગાણની વચ્ચે આજે ફરી એકવાર ઈડી (ED) અભિષેક બેનર્જીના ઘરે પહોંચી ગઈ છે. ત્યાં તેમને 15 જૂને ઓફિસમાં હાજર થવા માટેની નોટિસ આપવામાં આવી છે.

TMC ધારાસભ્યોએ આજે વિધાનસભા અધ્યક્ષને 60 સહીઓવાળો એક પત્ર સોંપ્યો છે, જેમાં વિરોધ પક્ષના નેતા (LoP) તરીકે ઋતબ્રત બેનર્જીના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. અધ્યક્ષે આ પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. મમતા મુખ્ય સલાહકાર રહેશે, જ્યારે અભિષેકની આમાં કોઈ ભૂમિકા નહીં હોય. બીજી તરફ મીડિયા સમક્ષ આવીને ઋતબ્રતે કહ્યું કે, અમે એક સારા વિરોધ પક્ષ તરીકે મહત્વની ભૂમિકા ભજવીશું. જ્યાં જરૂર હશે ત્યાં અમે બિલ (ખરડા)નું સમર્થન કરીશું અને જ્યાં જરૂર હશે ત્યાં અમે બિલનો વિરોધ કરીશું. કોઈ વધારાના ફાયદા માટે ગૃહમાંથી ક્યારેય વૉકઆઉટ નહીં કરીએ.

ગરમીથી ત્રાહિમામ લોકો માટે ખુશીના સમાચાર! : આગામી 24 કલાકમાં આવશે પલટો, આવનારા 7 દિવસ ભારે વરસાદની આગાહી

'અભિષેક બેનર્જી સાથે અમારે કોઈ સંબંધ નથી'

ઋતબ્રત બેનર્જીએ મીડિયા સમક્ષ આવીને કહ્યું કે, અભિષેક બેનર્જીની કોઈ ભૂમિકા જ નહીં રહે. તેમની સાથે અમારી પાર્ટીનો કોઈ સંબંધ નથી. તેમની સાથે અમારી જનતાનો પણ દૂર-દૂર સુધી કોઈ સંબંધ નથી. જો સંબંધ હોત તો તેઓ 26 દિવસ સુધી છુપાયેલા ન રહેત, પણ બહાર આવ્યા હોત. જેમ ચોરોને મારવામાં આવે છે, તેમ જ તેમને માર મારવામાં આવ્યો. અમારામાંથી કોઈ પણ નેતાએ કેન્દ્ર કે રાજ્ય સરકાર પાસે સુરક્ષાની માંગણી નથી કરી. બીજી તરફ અભિષેક બેનર્જી તે દિવસે ચોરોની જેમ માર ખાધા પછી કહી રહ્યા હતા કે જનતા તેમની રક્ષા કરશે. પછી જોવા મળ્યું કે તેમણે કેન્દ્ર સરકારને પોતાની સુરક્ષા વધારવા માટે પત્ર લખ્યો. અમે તેમને લઈને કોઈ ચર્ચા કરવા નથી માંગતા.

'મમતા અને અભિષેક બંનેનો સમય ખરાબ ચાલી રહ્યો છે'

ઋતબ્રતે કહ્યું કે, જ્યાં સુધી મમતા બેનર્જીની વાત છે, તો અમે માનીએ છીએ કે મમતા બેનર્જી ખૂબ જ વરિષ્ઠ નેતા છે. અમારી તેમને વિનંતી રહેશે કે તેઓ અમારા મુખ્ય સલાહકાર તરીકે અમારી પાર્ટીનું નેતૃત્વ કરતા રહે. મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જી, બંનેનો સમય અત્યારે ખરાબ ચાલી રહ્યો છે. મમતાના હાથમાંથી એક તરફ પાર્ટીની કમાન સરકી રહી છે, તો બીજી તરફ ભત્રીજા અભિષેક પર તપાસ એજન્સીઓનો સિકંજો સતત કસાતો જઈ રહ્યો છે.

એવિએશન સેક્ટરને મોદી સરકારની મોટી રાહત! : એરલાઇન્સ અને મુસાફરોને બચાવવા ₹10,000 કરોડના સ્પેશિયલ ફંડને મંજૂરી

ઋતબ્રત બેનર્જીએ મીડિયા સમક્ષ આવીને જે પ્રકારે દાવો કર્યો છે, તે મહારાષ્ટ્રનું રાજકીય ચિત્ર યાદ અપાવે છે. ત્યાં પણ શિવસેનામાં ભંગાણ પડ્યા બાદ આવું જ કંઈક થયું હતું. શિવસેનાની જેમ જ હવે ટીએમસી માટે પણ 'અસલી કોણ અને નકલી કોણ' એ સવાલ મોટો થઈ ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now