Home Gujarat Time Limit For Special Intensive Revision Of Sir Voter List Based On Qualification Extended

લાયકાત આધારે SIR મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની સમય મર્યાદા વધારાઈ : આ તારીખ સુધી દાવા અને વાંધાઓ રજૂ કરી શકાશે

લાયકાત આધારે SIR  મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની સમય મર્યાદા વધારાઈ
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2025, 01:21 PM IST

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.

66,232 નાગરિકો તરફથી ફોર્મ 6 મળ્યા

હવે તા. 18 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે. જેના અનુસંધાને આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા.21 ડિસેમ્બર સુધીમાં કુલ 66,232 નાગરિકો તરફથી ફોર્મ 6 મળ્યા છે.

નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવી

જ્યારે જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે 9,966 નાગરિકો તરફથી ફોર્મ 7 મળ્યા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now