હ્રદય રોગ આ સમયમાં ઘણા જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જેના કારણે થતા મૃત્યુના પ્રમાણમાં પણ વધારો થયો છે. જો કે, અનેક અભ્યાસમાં એવું જોવા મળ્યું છે કે, પુરુષો કરતા મહિલાઓમાં આ બીમારી ઓછી જોવા મળે છે. સાથે જ હવે એક નવા અભ્યાસમાં એવું પણ સામે આવ્યું છે કે, જેમને માસિક આવવું બંધ થઈ જાય છે તેમણે પણ હ્રદય સંબંધી બીમારીઓ થવાની આશંકા ઓછી થઈ જાય છે. એટલે કે તેમને હાર્ટ અટેકનો ખતરો પણ ઓછો થઈ જાય છે.
અભ્યાસ અનુસાર માસિક ધર્મ બંધ થાય તેને હ્રદય સંબંધી બીમારીઓ થવાનો ખતરો ઓછો થઈ જાય છે.તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ સ્ત્રીનો માસિક ધર્મ કાયમ માટે બંધ થઈ જાય છે, ત્યારે તેને મેનોપોઝ કહેવામાં આવે છે. આ એક કુદરતી પ્રક્રિયા છે. મેનોપોઝ પહેલાના સંક્રમણ તબક્કાને પેરીમેનોપોઝ કહેવામાં આવે છે. આમ તો, મહિલાઓમાં સામાન્ય રીતે પુરુષો કરતા હાર્ટ અટેનો ખતકો ઓછો જ હોય છે. પરંતુ પીરિયડ્સ બાદ તેનું જોખમ કેટલાક અંશે વધી જાય છે અને એ સમયે પુરુષો કરતા પણ તેમણે વધારે જોખમ હોય છે
92 મહિલાઓ પર અભ્યાસ કરવામાં આવ્યો
ટીમે યુનાઇટેડ સ્ટેટ્સમાં 92 મહિલાઓના રક્તવાહિની સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કર્યું. ખાસ કરીને બ્રેકિયલ આર્ટરી ફ્લો-મીડિયેટેડ ડાયલેશન (FMD) નામના માપને જોતા, અથવા ઉપલા હાથની મુખ્ય રક્ત વાહિની, તેમની બ્રેકિયલ આર્ટરી, વધેલા રક્ત પ્રવાહ સાથે કેટલી સારી રીતે ફેલાય છે તે જોતા. આ બાબતની તપાસ કરવામાં આવી હતી. પરિણામો દર્શાવે છે કે બધી પોસ્ટમેનોપોઝલ સ્ત્રીઓમાં તેમના પ્રિમેનોપોઝલ સમકક્ષો કરતાં નોંધપાત્ર રીતે ખરાબ ધમનીઓ હતી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat Stories આની પુષ્ટિ કરતું નથી.)





















