ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં બ્રિજ પર ફસાઈ ગયેલા કેમિકલ ટેન્કરને ઉતારવામાં આખરે સફળતા મળી છે. 2 એર કેપ્સૂલની મદદથી ટેન્કરને લેવલમાં લાવી દોરડા વડે ખેંચવામાં આવ્યું. વહીવટી કારણોસર બ્રિજ પર ફસાયેલા ટેન્કરને ઉતારવાનો નિર્ણય લઈ શકાતો ન હતો, આખરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્દેશ આપતા આ કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવામાં આવી.
બ્રિજ પર ફસાયેલા ટેન્કરને સલામત પૂર્વક ઉતારવા માટે પોરબંદરનાં વિશ્વકર્મા ગ્રુપની મરીન્સ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં એર કેપ્સૂલ, હાઇડ્રોલિક સ્ટેન્ડ જેક અને ચાર પુલિંગ ટ્રકનો ઉપયોગ કરીને ટેન્કરને ઉતારવામાં સફળતા મળી છે.





















