Jana Nayagan Case: મદ્રાસ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે (ચીફ જસ્ટિસ મણિન્દ્ર મોહન શ્રીવાસ્તવ અને જસ્ટિસ જી. અરુલ મુરુગન) આજે (27 જાન્યુઆરી 2026) મહત્વનો ચુકાદો આપ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ની અપીલ સ્વીકારીને, કોર્ટે સિંગલ જજ (જસ્ટિસ પી.ટી. આશા)ના 9 જાન્યુઆરીના આદેશને રદ કરી દીધો છે. આ આદેશમાં CBFCને ફિલ્મને તાત્કાલિક U/A 16+ સર્ટિફિકેટ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હવે આ કેસને સિંગલ જજ પાસે જ પાછો મોકલવામાં આવ્યો છે, જ્યાં નવી સુનાવણી થશે અને CBFCને પોતાની કાઉન્ટર-એફિડેવિટ દાખલ કરવા માટે પૂરતો સમય આપવામાં આવશે.
CBFCના સર્ટિફિકેટના વિવાદ
કોર્ટે આદેશ આપ્યો છે કે વાદને ઝડપથી નિર્ણય કરવો જોઈએ અને બંને પક્ષોને પૂરી તક આપવામાં આવે.આ નિર્ણયથી થલાપતિ વિજયની આ છેલ્લી ફિલ્મ જન નાયગનની રિલીઝ વધુ વિલંબિત થઈ ગઈ છે. ફિલ્મ પોંગલ પહેલાં 9 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ CBFCના સર્ટિફિકેટના વિવાદને કારણે તે અટકી ગઈ હતી. આ ચુકાદો વિજય અને તેમના પ્રોડ્યુસર્સ (KVN પ્રોડક્શન્સ) માટે મોટો સેટબેક માનવામાં આવી રહ્યો છે, અને રિલીઝની તારીખ હજુ અનિશ્ચિત છે.
ધાર્મિક મુદ્દાઓ સાથે જોડાયેલા વિવાદો
ફિલ્મમાં કેટલીક ક્લિપ્સ અને ડાયલોગ્સને લઈને CBFCએ વાંધો ઉઠાવ્યો હતો, જેમાં મધ્યમ અને ધાર્મિક મુદ્દાઓ સાથે જોડાયેલા વિવાદોનો સમાવેશ થાય છે. કોર્ટે પણ કેટલાક મુદ્દાઓ પર ટિપ્પણી કરી છે કે ધાર્મિક ઓળખને અપમાનિત કરવા જેવી વાતો સ્વીકાર્ય નથી. આ લાઈવ અપડેટમાં વધુ વિગતો આવતાં જ તમને જણાવીશું. વિજયના ફેન્સ માટે આ નિર્ણય નિરાશાજનક છે, પરંતુ કાનૂની પ્રક્રિયા હજુ ચાલુ છે.




















