logo-img
T20 World Cup Did Team India Get Exposed After Losing To South Africa

T20 World Cup; સાઉથ આફ્રિકા સામેની હારથી શું ટીમ ઈન્ડિયા થઈ એક્સપોઝ? : પાકિસ્તાની ક્રિકેટરે ટીમ ઈન્ડિયાની સૌથી મોટી નબળાઈ કરી જાહેર!

T20 World Cup; સાઉથ આફ્રિકા સામેની હારથી શું ટીમ ઈન્ડિયા થઈ એક્સપોઝ?
Published by: Offbeat Team
| Last Updated: Feb 23, 2026, 12:39 PM IST

T20 World Cup : ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 તબક્કામાં ભારતીય ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી. રવિવારે (22 ફેબ્રુઆરી) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને 76 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ હવે ઝિમ્બાબ્વે (26 ફેબ્રુઆરી) અને વેસ્ટ ઈન્ડિઝ (1 માર્ચ) સામે ટકરાશે, જે સેમિફાઇનલ માટે મહત્વપૂર્ણ બની ગયા છે.

મોહમ્મદ આમિરે શું કહ્યું?

આ હાર બાદ, પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે ભારતીય ટીમ પર ટિપ્પણી કરી. આમિરે કહ્યું કે, ટીમને સ્પષ્ટપણે વિરાટ કોહલી અને રોહિત જેવા અનુભવી ખેલાડીઓની ખોટ અનુભવાઈ રહી છે. રોહિત અને કોહલી (ROKO) એ ગયા વર્લ્ડ કપમાં ભારતની ફાઇનલ જીત્યા પછી T20I ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધી હતી. બાદમાં, બંનેએ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ રિત્રએમેન્ટની જાહેરાત કરી. મોહમ્મદ આમિરે સંકેત આપ્યો કે ,મોટી ટુર્નામેન્ટમાં અનુભવનું મહત્વ ત્યારે સમજાય છે, જ્યારે કોઈ ટીમ દબાણ હેઠળ તૂટી પડે છે. આમિરના મતે, મજબૂત ટીમો સામે મેચ જીતવા માટે માત્ર આક્રમકતા જ નહીં, પણ ધીરજ અને મેચની પરિસ્થિતિની સમજ પણ જરૂરી છે, અને આ જ વાત ભારત ગુમાવી રહ્યું છે.

ભારત કેવી રીતે એક્સપોઝ થઈ રહ્યું છે?

મોહમ્મદ આમિરે એક શોમાં કહ્યું, "તમે એક વાત નોંધી હશે. આજે ભારત એક્સપોઝ થઈ ગયું. આ વર્લ્ડ કપમાં પહેલી વાર, તેઓએ પીછો કર્યો. લોકો ભૂલી રહ્યા છે કે, આ તે ટીમ નથી જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા હતા, જેઓ પરિસ્થિતિ અનુસાર મેચનું નિર્દેશન કરતા હતા. ભારતીય ટીમ જે સૌથી મોટી ભૂલ કરે છે તે છે શરૂઆતમાં ત્રણ ડાબા હાથના બેટ્સમેનોને મોકલવા. અન્ય ટીમો ઓફ-સ્પિનર્સનો ઉપયોગ કરે છે. જો એક કે બે આઉટ થાય છે, તો 180 રનનો પીછો કરવો સમસ્યા બની જાય છે."

ભારતીય ટીમનું કોમ્બિનેશન અયોગ્ય

મોહમ્મદ આમિર કહે છે, "તમે શિવમ દુબે રમી રહ્યા છો. અમારી ટીમ દરેક મેચમાં ફહીમ અશરફને રમી રહ્યો છે, ભલે તેની કોઈ ભૂમિકા ન હોય. રિંકુ સિંહનો વારો ક્યારેય આવતો નથી. તમે અક્ષર પટેલ અને કુલદીપ યાદવને છોડી દીધા છે. તેમના ખેલાડીઓ સ્પિનરો સામે સંઘર્ષ કરે છે. તમારી પાસે એક ચાઇનામેન સ્પિનર ​​છે, જેને તમે છોડી દીધો છે. અબરાર સાથે પણ આવું જ થાય છે. તમે ગમે તેટલી મોટી ટીમ હોવ, જ્યાં સુધી તમે યોગ્ય કોમ્બિનેશનમાં નહીં રમો, ત્યાં સુધી મોટી ટીમો તમને એક્સપોઝ કરી દેશે." ગ્રુપ સ્ટેજમાં, સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતે USA, પાકિસ્તાન અને નામિબિયા સામે સતત જીત મેળવીને સુપર 8 માં સ્થાન મેળવ્યું. જોકે, ભારતીય ટીમને સુપર-8 ની પહેલી જ મેચમાં હાર મળી. શરૂ થયો. સાઉથ આફ્રિકાની ટીમે બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં ભારતને સંપૂર્ણપણે હરાવ્યું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now