બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસની CBIએ પોતાનો ક્લોઝર રિપોર્ટ સબમિટ કર્યો છે. 14 જૂન, 2020ના રોજ, સુશાંત મુંબઈના બાંદ્રામાં તેના એપાર્ટમેન્ટમાં તેના ફ્લેટની છત પર લટકતો મળી આવ્યો હતો. આ કેસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેનો પરિવાર પણ સસ્પેક્ટ હતા. હવે સીબીઆઈએ અભિનેત્રી અને તેના પરિવારને ક્લીન ચિટ આપી દીધી છે, ત્યારબાદ રિયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સીબીઆઈએ તેમને ક્લીન ચિટ આપ્યા બાદ રિયા ચક્રવર્તીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. તેણે તેના આગામી શો એમટીવી રોડીઝની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. તે બ્રાઉન ડ્રેસમાં જોવા મળી રહી છે.
હું સંતુષ્ટ છુંઃ રિયા ચક્રવર્તી
રિયાની આ પોસ્ટ પર ચાહકો તેને સુશાંત સિંહ રાજપૂત કેસમાં ક્લીન ચિટ મળવા બદલ અભિનંદન પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, " મને અફસોસ છે કે તમારે આમાંથી પસાર થવું પડ્યું. આપણે તેનો વિચાર પણ કરી શકતા નથી. ખૂબ જ ખુશ છું કે ચુકાદો અને સીબીઆઈ રિપોર્ટ દ્વારા સત્ય બહાર આવ્યું છે. અમને તમારા પર પૂરો વિશ્વાસ છે.
શું કહ્યું સીબીઆઈના રિપોર્ટમાં?
સીબીઆઈના અંતિમ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીબીઆઈને એવા કોઈ પુરાવા મળ્યા નથી કે સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. સુશાંતના પરિવાર પાસે મુંબઈ કોર્ટમાં વિરોધ અરજી દાખલ કરવાનો વિકલ્પ છે. સીબીઆઈએ એઈમ્સના નિષ્ણાતો સાથે સુશાંતની આત્મહત્યા અને છેતરપિંડીના કેસની તપાસ કરી હતી. એઈમ્સની ફોરેન્સિક ટીમે કોઈ પણ પ્રકારની ગેરરીતિને નકારી કાઢી હતી.



















