ખાલિદ જમીલને ભારતીય ફૂટબૉલ ટીમનો મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તેમણે આ પ્રતિષ્ઠિત પદ સુધી પહોંચનારા 13 વર્ષોમાં પહેલા ભારતીય છે. 48 વર્ષીય ખાલીદ જમીલ ભારતના પૂર્વ આંતરરાષ્ટીય ખેલાડી છે. તેમણે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ની કાર્યકારી સમિતિ દ્વારા ત્રણ નામોની અંતિમ યાદીમાંથી તેમની પસંદગી કરવામાં આવી હતી.
અન્ય બે દાવેદારોમાં એક ભારતના પૂર્વ મુખ્ય કોચ સ્ટીફન કોન્સ્ટેન્ટાઇન અને સ્લોવાકિયા રાષ્ટ્રીય ટીમના ભૂતપૂર્વ મેનેજર સ્ટેફન ટાર્કોવિક હતા. અનુભવી સ્ટ્રાઈકર આઈ એમ વિજયનની આગેવાની હેઠળની AIFF ટેકનિકલ કમિટીએ અંતિમ પસંદગી માટે કાર્યકારી કમિટી સમક્ષ આ ત્રણ ઉમેદવારોની પસંદગી કરી હતી.
જમીલ સ્પેનિશ કોચ માનોલો માર્ક્વેઝનું સ્થાન લેશે, જેમણે ભારતના તાજેતરના નિરાશાજનક પ્રદર્શન બાદ ગયા મહિને AIFF થી અલગ થઈ ગયા હતા. ભારતીય પુરુષ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના છેલ્લા ભારતીય મુખ્ય કોચ સેવિઓ મેડેઇરા હતા, જેમણે 2011 થી 2012 સુધી મુખ્ય કોચ હતા. મુખ્ય કોચ તરીકે જમીલનો પહેલો પડકાર સેન્ટ્રલ એશિયન ફૂટબોલ એસોસિએશન (CAFA) નેશન્સ કપ હશે, જે 29 ઓગસ્ટથી તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં યોજાશે.
બધા સ્તરે અનુભવી કોચ
કુવૈતમાં જન્મેલા અને ભારતના ભૂતપૂર્વ મિડ ફિલ્ડર ખાલિદ જમીલ એવા થોડા વ્યક્તિઓમાંના એક છે જેમણે ખેલાડી તરીકે (2005માં મહિન્દ્રા યુનાઇટેડ સાથે) અને કોચ તરીકે (2017માં આઈઝોલ એફસી સાથે) ભારતની ટોચની ફૂટબોલ લીગ જીતી છે. તેમની પાસે AFC પ્રો લાઇસન્સ છે અને તેમણે ભારતીય ફૂટબોલના દરેક સ્તરે ટીમોને કોચિંગ આપ્યું છે - I-લીગ, I-લીગ 2 થી ઇન્ડિયન સુપર લીગ (ISL) સુધી. 2023-24 સીઝન દરમિયાન, ખાલિદ જમીલે જમશેદપુર એફસીનો કોચ રહ્યા હતા અને ટીમના પ્રદર્શનને સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું. તેમણે ટીમને માત્ર સુપર કપ સેમિફાઇનલ અને રનર-અપ ફિનિશ સુધી જ નહીં, પણ ISL પ્લેઓફમાં પણ સ્થાન મેળવ્યું. તેમના શાનદાર પ્રદર્શનના બદલામાં, તેમને બે વર્ષનો કરાર વિસ્તરણ મળ્યો, જે ISLમાં ભારતીય કોચ માટે એક મોટી સિદ્ધિ છે. મુખ્ય કોચ તરીકે ખાલિદ જમીલનો પ્રથમ ટેસ્ટ સરળ રહેશે નહીં. વર્તમાન FIFA રેન્કિંગમાં ૧૩૩મા ક્રમે રહેલું ભારત આ મહિનાના અંતમાં CAFA નેશન્સ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈરાનનો સામનો કરશે અને તાજિકિસ્તાન જેવી મજબૂત ટીમોનો સામનો કરવાનો છે, જે 2023 એશિયન કપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી.





















