રવિચંદ્રન અશ્વિને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાના અનુભવી ઓફ-સ્પિનર અશ્વિને પણ સ્પષ્ટ કર્યું છે કે વિશ્વભરની વિવિધ લીગમાં નવા રમત અનુભવોની તેમની સફર આજથી શરૂ થાય છે.
ધ્યાનમાં રાખો કે અશ્વિને 18 ડિસેમ્બર 2024 ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ગાબા ટેસ્ટ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ તેને IPLમાં રમવાનું ચાલુ રાખવાની વાત કરી હતી. તે IPL 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમ્યો હતો. જ્યાં તેને 9 મેચમાં 7 વિકેટ લીધી હતી અને 33 રન બનાવ્યા હતા. 2025 માં CSK ના સંઘર્ષ વચ્ચે અશ્વિન અન્ય વિવાદોમાં પણ ફસાયો હતો. તાજેતરમાં તેને ડેવાલ્ડ બ્રેવિસ પર પણ ટિપ્પણી કરી હતી, જ્યાં તેને કહ્યું હતું કે તેને વધુ પૈસા આપવામાં આવ્યા હતા. બાદમાં તેને આ મામલે સ્પષ્ટતા કરી.
38 વર્ષીય ઓફ સ્પિનર અશ્વિને 221 IPL મેચોમાં 189 વિકેટ લીધી હતી. તેનો ઇકોનોમી રેટ 7.20 હતો. તેની શ્રેષ્ઠ બોલિંગ 4/34 હતી. આ ઉપરાંત, તેને 98 ઇનિંગ્સમાં 833 રન બનાવ્યા હતા. તેનો હાઇ સ્કોર 50 હતો. અશ્વિને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 5 ટીમો માટે રમી છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ માટે રમ્યો હતો. તેને ટુર્નામેન્ટમાં પંજાબની કેપ્ટનશીપ પણ કરી હતી.





















