logo-img
Sports News Cricket India Vs South Africa Suryakumar Yadav Angry Dugout

T20 WCમાં SA સામે હાર બાદ તપી ગયો સૂર્યાનો પારો : જુઓ મેદાન પર કોના પર સૌથી વધુ બગડ્યો કેપ્ટન? શું હવે વર્લ્ડ કપથી બહાર ફેંકાઈ જશે INDIA?

T20 WCમાં SA સામે હાર બાદ તપી ગયો સૂર્યાનો પારો
Published by: Offbeat Team
| Last Updated: Feb 23, 2026, 05:01 AM IST

T20 World Cup 2026: અમદાવાદના મેદાનમાં દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 મેચમાં ખરાબ રીતે હાર્યા બાદ કેપ્ટન સૂર્ય કુમાર યાદવ ધુંઆપુઆં થઈ ગયો. હાલ સોશિયલ મીડિયામાં તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જોકે, તે પહેલાં એ જોઈ લઈએ કે મેચમાં અને મેચ પછી શું થયું. સાથે જ હવે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા ટકશે કે પછી બહાર ફેંકાઈ જશે તે પણ જાણી લઈએ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ઈન્ડિયા-સાઉથ આફ્રિકાની મેચમાં ફરી એકવાર કરોડો ક્રિકેટ ચાહકોના દિલ તૂટ્યા. બન્ને ટીમો ટોસ જીતીને બેટિંગ કરવા માંગતી હતી. સિક્કો ઉછડ્યો અને મહેમાન ટીમના પક્ષમાં પડ્યો. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ પસંદ કરી. ટીમ ઈન્ડિયાના બોલરોએ ભારતને સારી શરૂઆત અપાવી. દક્ષિણ આફ્રિકાએ 4 ઓવરમાં 20 રન આપીને ક્વિન્ટન ડી કોક, એડન માર્કરામ અને રાયન રિકેલ્ટનની ત્રણ વિકેટ લીધી. પછી પરિસ્થિતિ બદલાઈ અને 10મી ઓવર આવતા આવતા તો સાઉથ આફ્રિકાએ 100 રન બનાવી લીધાં.


ટીમ ઈન્ડિયાના બોલરો મોંઘા સાબિત થયાઃ

પરંતુ મધ્ય ઓવરમાં, વરુણ ચક્રવર્તી સહિત અન્ય બોલરો દબાણનો સામનો કરી શક્યા નહીં, અને દક્ષિણ આફ્રિકાએ અમદાવાદની પીચ પર ભારત માટે 187/7નો સ્કોર ખડકી દીધો.વરુણ ચક્રવર્તીએ 11.75 ની ઇકોનોમી પર 32 રન, હાર્દિક પંડ્યાએ 11.25 પર અને શિવમ દુબેએ 16 રન પ્રતિ ઓવર પર આપ્યા. ભારતીય બોલરોએ મેળવેલો પ્રારંભિક ફાયદો મધ્ય અને ડેથ ઓવરમાં ગુમાવી દીધો.

હંમેશાની જેમ બુમરાહે જીત્યા દિલઃ

જસપ્રીત બુમરાહ દક્ષિણ આફ્રિકા સામે હંમેશની જેમ પ્રતિભાશાળી સાબિત થયો. તેણે પોતાની બોલિંગથી સુનીલ ગાવસ્કર અને રવિ શાસ્ત્રી જેવા દિગ્ગજોના દિલ પણ જીતી લીધા. બુમરાહે 4 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ લીધી, જ્યારે અર્શદીપ સિંહે 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ લીધી.

SA સામે INDની શરમજનક હારઃ

ICC T20 વર્લ્ડ કપ 2026 માં, ભારતીય ટીમને સુપર-8 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 76 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે, ગ્રુપ 1 નું દૃશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે, અને ભારતની આગામી બે મેચ કરો યા મરોની લડાઈ બની ગઈ છે. લીગ તબક્કામાં સતત ચાર જીતે તેમની ખામીઓને ઢાંકી દીધી હશે, પરંતુ થોડી ધીમી અને કાળી માટીવાળી પીચ પર, ભારતીય બેટ્સમેનોનો દેખાવ ખુલ્લો પડી ગયો. 188 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે, ટીમ 18.5 ઓવરમાં ફક્ત 111 રનમાં જ સમેટાઈ ગઈ.

આ મેચે ટીમ ઈન્ડિયાનો ટ્રેક રેકોર્ડ બગાડ્યોઃ

આ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત માટે T20 વર્લ્ડ કપ 2026 ની પહેલી વાસ્તવિક કસોટી સાબિત થઈ. 12 મેચની જીતની સિલસિલા (2024 વર્લ્ડ કપમાં 8 જીત અને 2026 વર્લ્ડ કપમાં 4 જીત) પર સવારી કરીને, ટીમ ઈન્ડિયાને આખરે 76 રનથી ટુર્નામેન્ટની પહેલી હારનો સામનો કરવો પડ્યો. ટીમ ઈન્ડિયાએ 2024 વર્લ્ડ કપની રોમાંચક 7 રનની ફાઇનલમાં પ્રોટીયાને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ પ્રોટીયા માટે બદલો લેવાની તક પણ સાબિત થઈ.


દક્ષિણ આફ્રિકા સામે કારમી હાર બાદ કેપ્ટન સૂર્યા ગુસ્સે ભરાયા. કોઈક વાતને લઈને ડગઆઉટમાં સૂર્યા સપોર્ટ સ્ટાફ સાથે દલીલ કરતા જોવા મળ્યાં. મેચમાં હાર બાદનો આ વીડિયો પણ હાલ સોશિયલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો કોમેન્ટમાં કહી રહ્યાં છેકે, સૂર્યા હાર પચાવી નથી શક્યો એટલે સપોર્ટ સ્ટાફ પર ગુસ્સો કાઢી રહ્યો છે.

શું ભારત વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ જશે?

સ્ટાર ક્રિકેટર્સની ફોજથી ભરેલી આ ટીમે જે રીતે અમદાવાદની પીચ પર ધબડકો વાળ્યો છે તેનાથી ભારતનું વર્લ્ડ કપનું સપનું હવે ધૂંધળું થઈ ગયું છે. એવું પણ બને કે આગળ જતા ભારત સેમિફાઈનલ સુધી પણ ના પહોંચી શકે. ભારતીય ટીમનો સુપર-8 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 76 રનથી પરાજય થયો. T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં રનની દ્રષ્ટિએ આ ભારતીય ટીમનો બીજો સૌથી મોટો પરાજય હતો. આ હારથી ભારતીય ટીમનો સેમિફાઇનલમાં પહોંચવાનો માર્ગ મુશ્કેલ બન્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now