side effects of eating tomatos: ટામેટાં તો દરેકના કિચનનો અનિવાર્ય હિસ્સો છે – સલાડમાં, ગ્રેવીમાં કે જ્યુસ તરીકે! તેમાં વિટામિન-C, લાઇકોપીન અને પોટેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર હોય છે, જે હૃદય અને ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ જ ટામેટાં કેટલાક લોકો માટે ઝેર સમાન બની શકે છે? વધુ પડતું કે અનુકૂળ ન હોય તો સેવન એસિડિટી, પથરી, સાંધાના દુખાવા અને એલર્જી જેવી ગંભીર સમસ્યાઓને આમંત્રણ આપી શકે છે. આ લોકોએ ટામેટાંથી દૂર રહેવું જરૂરી છે, નહીં તો ફાયદાને બદલે મોટું નુકસાન થઈ શકે છે!
એસિડિટી અને હાર્ટબર્નના દર્દીઓ સાવધાન
ટામેટાંની પ્રકૃતિ એસિડિક હોય છે, જેમાં સાઇટ્રિક અને મેલિક એસિડ વધુ માત્રામાં હોય છે. વધુ ટામેટાં ખાવાથી પેટમાં એસિડનું પ્રમાણ વધી જાય છે, જેનાથી છાતીમાં બળતરા, ગેસ અને એસિડ રિફ્લક્સની તકલીફ વધે છે. જો તમને આવી સમસ્યા હોય તો ટામેટાંનું સેવન મર્યાદિત રાખો.
કિડની સ્ટોનના દર્દીઓ માટે ખતરો
ટામેટાંમાં ઓક્સાલેટ અને કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે. કિડનીમાં પથરીના દર્દીઓ માટે આ બંને તત્વો પથરીનું કદ વધારી શકે છે. ખાસ કરીને ટામેટાંના બીજમાં આ તત્વો વધુ હોય છે, તેથી આવા દર્દીઓએ ટામેટાં ઓછા ખાવા કે બીજ કાઢીને જ સેવન કરવું જોઈએ.
સાંધાના દુખાવા અને આર્થરાઇટિસના દર્દીઓ દૂર રહો
ટામેટાંમાં 'સોલેનાઇન' નામનું આલ્કલોઇડ હોય છે, જે શરીરમાં બળતરા વધારી શકે છે. જે લોકોને સાંધાનો દુખાવો, સોજો કે આર્થરાઇટિસની તકલીફ હોય, તેમણે ટામેટાંથી દૂર રહેવું જોઈએ, કારણ કે તેનાથી દુખાવો અને સોજો વધી શકે છે.
એલર્જી અને ત્વચાની સમસ્યાઓ
ઘણા લોકોને ટામેટાંથી એલર્જી થાય છે, જેનાથી ત્વચા પર રેશિઝ, ખંજવાળ કે સોજા આવી શકે છે. જો અગાઉ ટામેટાં ખાધા પછી આવી પ્રતિક્રિયા થઈ હોય તો તેનું સેવન ટાળવું જરૂરી છે.
પેટ અને પાચન પર ખરાબ અસર
વધુ પડતા ટામેટાં ખાવાથી ગટ હેલ્થ ખરાબ થઈ શકે છે. તેમાં રહેલા લેક્ટિન્સ પાચન માર્ગમાં સોજો લાવી શકે છે, જેનાથી પેટ ફૂલવું, બ્લોટિંગ કે ડાયેરિયા જેવી તકલીફો થઈ શકે છે.
ટામેટાં પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ માત્રામાં જ ખાવા જોઈએ. જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો ડોક્ટર કે ન્યુટ્રિશનિસ્ટની સલાહ લઈને જ સેવન કરો!
(Disclaimer: આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.)





















