રાજસ્થાન હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું છે કે કોઈ વ્યક્તિને 'નીચ' જેવા સામાન્ય અપમાનજનક શબ્દો કહેવાથી SC/ST (અત્યાચાર નિવારણ) એક્ટ પોતાના લાગુ નથી થતો. જસ્ટિસ વીરેન્દ્ર કુમારે સ્પષ્ટ કર્યું કે જ્યારે તે સાબિત થાય કે ખાસ કરીને અપમાન જાતિના આધારે કરવામાં આવ્યું છે અને આરોપીને પીડિતની જાતિની જાણ હોય આ એક્ટ ત્યારે લગાવવામાં આવી શકે છે.
શું છે મામલો
આ મામલો વર્ષ 2011 માં IIT જોધપુર સાથે જોડાયેલા એક વિવાદ સાથે સંકળાયેલો છે. તે સમયે સરકારી અધિકારી અતિક્રમણની તપાસ માટે આવ્યા હતા. તપાસ દરમિયાન અમુક લોકોએ તેમનો વિરોધ કર્યો અને કથિત રીતે અધિકારીઓને 'નીચ' અને 'ભિખારી' કહ્યા. અધિકારીઓએ આને જાતિગત અપમાન માનતા FIR નોંધાવી અને SC/ST એક્ટની કલમો સાથે IPC ની કલમો લગાવી.
આરોપીઓની શું છે દલીલ
આરોપીઓએ હાઇકોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું હતું કે, તેમણે અધિકારીઓની જાતિ વિશે માહિતી ન હતી અને બોળેલા શબ્દો જાતિનો સંકેત નથી આપતા. તેમણે એમ પણ કહ્યું કે ઘટના સમયે કોઈ સ્વતંત્ર સાક્ષી નહતો, એટલા માટે આને જાતિગત અપમાન ન માની શકાય.
હાઇકોર્ટે સુનાવણી દરમિયાન ઉપયોગ કરેલા શબ્દો કોઈ વિશેષ જાતિ તરફ સંકેત નથી કરતાં અને એવો કોઈ પુરાવો નથી કે આરોપીઓને અધિકારીઓની જાતિ વિશે કોઈ માહિતી હોય.
હાઇકોર્ટે કહ્યું કે SC/ST એક્ટ લગાવવા માટે જાતિ આધારિત અપમાનનો સ્પષ્ટ અને ઠોસ પુરાવો હોવો જરૂરી છે. આ આધારે કોર્ટે SC/ST એક્ટ હેઠળ લગાવેલા આરોપોને રદ્દ કરી દીધા. જોકે સરકારી અધિકારીઓને ડ્યૂટી પર રોકવા અને તેમની સાથે ધક્કામુક્કી સંબંધિત IPC કલમો લાગુ રહેશે અને તે હેઠળ આ મામલાની આગળની કાર્યવાહી થશે.




















