સંજીવ કુમાર ભારતીય સિનેમાના સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક હતા. તેમણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને એક અભિનેતા તરીકે પોતાની ક્ષમતા સાબિત કરી છે. સંજીવ કુમારનું વ્યાવસાયિક જીવન ખૂબ જ સફળ રહ્યું હતું પરંતુ વાસ્તવિક જીવન એટલું સંતોષકારક નહોતું. જોકે સંજીવ કુમારનું નામ નૂતન અને સાયરા બાનો સહિત ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયુ હતું, પરંતુ હકિકતમાં તે હેમા માલિની સાથે પ્રેમમાં હતા. તેમણે 1972માં ફિલ્મ 'સીતા ઔર ગીતા'ના શૂટિંગ દરમિયાન હેમા માલિનીના પ્રેમમાં પડ્યા હતા. તે અભિનેત્રી સાથે લગ્ન પણ કરવા માંગતા હતા પરંતુ એક શરતને કારણે તેઓ પ્રેમને મેળવી શક્યા નહી.
સંજીવ કુમાર હેમા માલિનીથી નારાજ હતા.
હનીફ ઝવેરી અને સેમંત બત્રા દ્વારા લખાયેલા સંજીવ કુમારના જીવનચરિત્ર 'એન એક્ટર' અનુસાર, સંજીવ કુમાર મહાબળેશ્વરમાં પ્રખ્યાત ગીત 'હવા કે સાથ સાથ' ના શૂટિંગ દરમિયાન હેમા માલિની સાથે પ્રેમમાં પડ્યા હતા. ત્યાં એક અકસ્માતમાં બંનેનો જીવ જીવ માંડ માંડ બચ્યો હતો.
હેમા માલિનીની માતાએ સંજીવ કુમારની સામે આ શરત મૂકી હતી
સંજીવ કુમાર હેમા માલિનીને આખરે કહીં જ દિધુ કે તેઓ તેમની સાથે લગ્ન કરવા માગે છે. શરૂઆતમાં, તેની માતા શાંતાબેન તેના પુત્રના લગ્ન અભિનેત્રી સાથે કરાવવા તૈયાર નહોતી. પરંતુ જ્યારે તે તેના ઘરે આવી ત્યારે તેમણે હેમાની નજીકથી તપાસ કરી, તેની સુંદરતા અને સરળતાથી પ્રભાવિત થઈ અને સહમતિ આપી. ટૂંક સમયમાં, બંને પરિવારો વચ્ચે મોટા મતભેદો ઊભા થયા. હેમાની માતા જયા ચક્રવર્તીએ એક શરત મૂકી હતી કે તેમની પુત્રી લગ્ન પછી પણ ફિલ્મોમાં કામ કરતી રહેશે. સંજીવ કુમાર અને તેમના પરિવારને આશા હતી કે હેમા તેમની કારકિર્દી અને વ્યાવસાયિક જીવન છોડીને ગૃહિણી બનશે અને પારિવારિક જીવનમાં સ્થાયી થશે.
સંજીવ-હેમાનો સંબંધ શરતનું પાલન ન કરવાને કારણે તૂટી ગયો હતો
જોકે હેમાએ કથિત રીતે તેના વર્તમાન પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તેમની આશા હતી કે સંજીવ આખરે તેની કારકિર્દીને ટેકો આપશે. પરંતુ કોઈ પણ પક્ષ સમાધાન કરવા તૈયાર નહોતો. એકબીજા માટે ઘણો પ્રેમ હોવા છતાં, તેઓ ક્યારેય ફરી મળ્યા નહીં. સંજીવ કુમાર 47 વર્ષની વયે તેમના મૃત્યુ સુધી એકલા હતા.



















