ફિલ્મ નિર્દેશક એ. આર. મુરુગાદોસ તેમની ફિલ્મો માટે જાણીતા છે. અને હવે તેઓ આગામી ફિલ્મ સિકંદર માટે તૈયાર છે. તેમણે કહ્યું કે સલમાન ખાન અને રશ્મિકા મંદાના અભિનીત આ ફિલ્મ રિમેક નથી. ઓરિજનલ છે.
ફિલ્મ રિમેક નથી
તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે ફિલ્મની સમગ્ર વાર્તા ઓરિજિનલ છે. સિકંદરના દરેક દ્રશ્ય અને દરેક ફ્રેમને પ્રામાણિકતા સાથે ડિઝાઇન કરવામાં આવી છે. ફિલ્મની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. ફિલ્મમાં ખુબ સારુ બેકગ્રાઉન્ડ સ્કોર છે જે સંતોષ નારાયણન દ્વારા તૈયાર કરાયું છે.
તાજેતરમાં, ફિલ્મ 'સિકંદર "ની કોરિયોગ્રાફર ફરાહ ખાને સલમાન ખાન સાથે કામ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરી હતી.
હું સલમાન અને સાજિદ નડિયાદવાલા બંને સાથે ઘણા લાંબા સમયથી સંકળાયેલો છું. એક બાળપણનો મિત્ર છે અને બીજો ભાઈ છે. મેં તે બંને સાથે ઘણાં ગીતો કર્યા છે અને હવે ઝોહરા જબીન કરવું ખરેખર ખાસ હતું. મને ખાતરી છે કે આ ગીત હિટ થશે અને આટલા લાંબા સમય પછી સલમાનને કોરિયોગ્રાફ કરવામાં પણ ઘણી મજા આવી હતી. પ્રથમ વખત રશ્મિકા સાથે કામ કરવાનો ખરેખર આનંદ થયો. તેમની સાથે કામ કરવું ખૂબ જ સરળ હતું.
'સિકંદર' સલમાનનું એક વર્ષથી વધુ સમય પછી મોટા પડદા પર પુનરાગમન છે. તેઓ છેલ્લે 2023ની એક્શન એન્ટરટેઇનર 'ટાઇગર 3' માં જોવા મળ્યા હતા. સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત આ ફિલ્મમાં સલમાન ખાન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે.
પ્રિન્સ નરુલાની પાર્ટીમાં કેમેરામેન સાથે મારામારી: કેમ ફાટ્યો બસીર અલીનો ગુસ્સો? જાણો આખી વાત






