Saina Nehwal-Parupalli Kashyap Divorce: ભારતની ભૂતપૂર્વ સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ અને ભૂતપૂર્વ પુરુષ બેડમિન્ટન ખેલાડી પારુપલ્લી કશ્યપે 7 વર્ષના લગ્નજીવન પછી એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમના છૂટાછેડાના સમાચાર સાંભળીને ચાહકો પણ ચોંકી ગયા છે. સાઇના નેહવાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકો સાથે છૂટાછેડાની માહિતી શેર કરી.
વર્ષ 2018માં લગ્ન
સાઇના નેહવાલ અને પારુપલ્લી કશ્યપે લાંબા સમયથી રિલેશનશિપમાં હતા, ત્યારબાદ બંનેએ વર્ષ 2018 માં એકબીજા સાથે લગ્ન કરીને ચાહકોને મોટી ખુશખબર આપી હતી, પરંતુ હવે બંને અલગ થઈ ગયા છે. સાઇના નેહવાલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, "ક્યારેક જીવન આપણને અલગ દિશામાં લઈ જાય છે. પારુપલ્લી અને મેં ઘણો વિચાર કર્યા પછી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે બંને એકબીજા માટે શાંતિ અને પ્રગતિ પસંદ કરી રહ્યા છીએ."
STORY | Badminton stars Saina Nehwal, Parupalli Kashyap announce separation
— Press Trust of India (@PTI_News) July 13, 2025
READ | https://t.co/b0JKSMdOE6 pic.twitter.com/E8I9pQNg1Y
સાઇના નેહવાલ 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં ઉત્તમ પ્રદર્શન કરીને પહેલીવાર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. આ પછી તેણીએ 2012 લંડન ઓલિમ્પિકમાં પ્રથમ વખત બ્રોન્ઝ મેડલ જીત્યો, આ સાથે સાઇના ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી બની.
બીજી તરફ પારૂપલ્લી કશ્યપે 2014 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો અને તે 32 વર્ષ પછી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ બેડમિન્ટન ખેલાડી બન્યો.





















